Friday, May 9, 2025
HomeGujaratજામનગરમાં ચેક પરત ફરવાના બે કેસમાં વેપારીઓને બે-બે વર્ષની કેદની સજા

જામનગરમાં ચેક પરત ફરવાના બે કેસમાં વેપારીઓને બે-બે વર્ષની કેદની સજા

Date:

spot_img

Related stories

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

અમદાવાદ નો પ્રિય ઉત્સવ – વીકેન્ડ વિન્ડો – વાયરલ...

વિકેન્ડ વિન્ડો દ્રારા 25 થી 27 એપ્રિલ-2025 દરમિયાન ના...

ભારત-પાકિસ્તાનમાં સંઘર્ષ IPL મોકૂફ : એક અઠવાડિયા માટે મુલતવી...

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે, BCCI...

પાકિસ્તાનનો ત્રીજો હુમલો નિષ્ફળ : HRTC એ પઠાણકોટ, અમૃતસર,...

ભારતના 'ઓપરેશન સિંદૂર' હવાઈ હુમલા પછી પાકિસ્તાને ત્રીજી વખત...
spot_img

જામનગરના દરેડ વિસ્તારમાં આવેલ ઋષભ મેટલ્સ નામની પેઢીના માલિકને બે કેસમાં બે-બે વર્ષની કેદની સજા તેમજ રૂા.5,50,000ની રકમનું વળતર ચૂકવવાનો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવ્યો છે. જામનગરના દરેડ, જી.આઈ.ડી.સી.માં આવેલ ઋષભ મેટલ્સના નામથી ચાલતી પેઢીના પ્રોપરાઈટર ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) ને ધંધાકીય કામ સબબ નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા જામનગરમાં રહેતા લખધીરસિંહ નાથુભા ચુડાસમા પાસેથી રૂા.2,50,000 અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા પાસેથી રૂા.2,50,000રોકડા ઉછીના લીધા હતા. અને બંને લોકો પાસેથી લીધેલ રકમની પરત ચુકવણી માટે બંને વ્યક્તિઓને ચેકો આપેલ હતા. જેથી એ ચેકો લખધીરસિંહ નાથુભા ચુડાસમા અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા દ્રારા બેંકમાં રજુ કરતા બંને ચેક અપૂરતા નાણા ભંડોળનાં કારણે પરત ફર્યા હતા. જેથી લખધીરસિંહ નાથુભા ચુડાસમા અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા દ્વારા ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) વિરુદ્ધ જામનગરના ચીફ જ્યુડીશ્યલ મેજી. સમક્ષ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબ અલગ-અલગ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કોર્ટે ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) ને અદાલત સમક્ષ હાજર રહેવાનો હુકમ ફરમાવેલ હોય.જેમાં આરોપી ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયાએ ગુનો કર્યાનો ઇનકાર કરેલ જેથી બંને કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયાને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબની બંને ફરિયાદના કામે તકસીરવાર ઠરાવી બંને કેસોમાં બે-બે વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે. અને લખધીરસિંહ નાથુભા ચુડાસમાને રૂા.2,50,000 અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવાને રૂા.3,00,000 જે દંડની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ ફરમાવેલ છે. અને જો દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

અમદાવાદ નો પ્રિય ઉત્સવ – વીકેન્ડ વિન્ડો – વાયરલ...

વિકેન્ડ વિન્ડો દ્રારા 25 થી 27 એપ્રિલ-2025 દરમિયાન ના...

ભારત-પાકિસ્તાનમાં સંઘર્ષ IPL મોકૂફ : એક અઠવાડિયા માટે મુલતવી...

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે, BCCI...

પાકિસ્તાનનો ત્રીજો હુમલો નિષ્ફળ : HRTC એ પઠાણકોટ, અમૃતસર,...

ભારતના 'ઓપરેશન સિંદૂર' હવાઈ હુમલા પછી પાકિસ્તાને ત્રીજી વખત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here