Sunday, April 20, 2025
HomeGujaratહેતની હવેલી ખાતે પ્રજાસત્તાક દિવસ પર ભારતમાતાની ભવ્ય આરતી અને પરમવીર વંદના

હેતની હવેલી ખાતે પ્રજાસત્તાક દિવસ પર ભારતમાતાની ભવ્ય આરતી અને પરમવીર વંદના

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

લાઠી દુધાળા ૨૬ મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની વિશેષ સંધ્યાએ હેતની હવેલી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત ભારતમાતા સરોવર પર ભારતમાતાની ભવ્ય આરતી તેમજ ૨૧ પરમવીર ચક્ર વિજેતા સૈનિકોની પરમવીર વંદના કરવામાં આવી હતી.પ્રજાસત્તાક પર્વની આ અનોખી ઉજવણીમાં સમગ્ર ગામ અને આસપાસના નાગરિકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. ધોળકિયા ફાઉન્ડેશન કમિટીના મિત્રોના પ્રેરણાત્મક નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપ્રેમ અને પ્રકૃતિ સંરક્ષણનો અદભુત સમન્વય જોવા મળ્યો. ભારતમાતાનું પૂજન અને આરતી: મહાન રાષ્ટ્રમાતા અને વીર સપૂતો ને સન્માન આપવા માટે ભારતમાતાની ભવ્ય આરતીનું આયોજન થયું, જ્યાં ગામના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષકો, વિદ્યાાર્થિઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.પરમવીર વંદના ૨૧ પરમવીર ચક્ર વિજેતા સૈનિકોના શૌર્ય અને પરાક્રમ ને સન્માન આપવા માટે આ યાદગાર વંદના કરવામાં આવી. કલામ કેમ્પસના વિદ્યાર્થીઓએ આ શૂરવીરોના પરાક્રમની વિગતો આપી સહભાગીઓમાં પ્રેરણા જગાવી હતી.ત્યારબાદ લાઠી, મતિરાળા, અકાળા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને અમરેલી મુકબધીર શાળાના બાળકોએ દેશભક્તિથી યુક્ત રોચક સાંસ્કૃતિક પ્રસ્તુતીઓ રજૂ કરી, જેમણે ઉપસ્થીત સૌ કોઈના દિલ જીતિલિધા હતા.ધોળકિયા ફાઉન્ડેશનના કનકભાઈ પટેલે ફાઉન્ડેશનના વિઝન અને જળસંચયના અભિગમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.ભારતમાતાની ભવ્ય આરતીમાં ઉપસ્થિત ૮૫ વર્ષના એક વડીલે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે “૮૫ વર્ષના જીવનકાળમાં મેં આ રીતે ભારતમાતાની ભવ્ય આરતી પહેલી વાર કરી છે. આવી ઉજવણીમાં ભાગ લેવું ગર્વપૂર્ણ છે.”આ અનોખી ઉજવણીનો સમાપન રાષ્ટ્રગીત સાથે થયો, જ્યાં સૌ કોઈ રાષ્ટ્રગૌરવના ભાવથી ભરાઈ ગયા. ભારતમાતાની આરતી અને પરમવીર વંદનાની આ અનોખી ઉજવણી ઐતિહાસિક બની રહી આ ભવ્ય આયોજન માટે લોકોએ ધોળકિયા ફાઉન્ડેશનના સભ્યો તથા પદ્મશ્રી ડૉ.સવજીભાઈ ધોળકિયા સાહેબને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here