Wednesday, August 5, 2026
Homenationalકોલકાતામાં મમતાના હાઇવોલ્ટેજ ધરણા ડ્રામાનો અંત

કોલકાતામાં મમતાના હાઇવોલ્ટેજ ધરણા ડ્રામાનો અંત

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...
Mamata Banerjee ends 3-day long ‘dharna’, calls it ‘victory of democracy’

ચંદ્રબાબુની હાજરીમાં મમતાએ ધરણા સમેટી લીધા, કહ્યું – મોદી રાજીનામું આપી ગુજરાત જાય : સુપ્રીમ કોર્ટના નિર્દેશને મમતાએ પોતાની જીત અને ભાજપે સીબીઆઇની જીત ગણાવી
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની હાજરીમાં ધરણા ખતમ કર્યા હતા. તેઓ કોલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમાર પર સીબીઆઇની કાર્યવાહી વિરૂદ્ધ રવિવાર રાતથી ધરણા પર બેઠાં હતા. આ પહેલાં મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઇની સામે રજૂ કરવાના આદેશ આપ્યા હતા. કુમારને શિલોન્ગ સ્થિત સીબીઆઇ ઓફિસમાં હાજર થવું પડશે.
ચંદ્રબાબુ નાયડૂ મંગળવારે મમતા સાથે મુલાકાત કરવા ઘટનાસ્થળ પર પહોંચ્યા. અહીં મમતાએ કહ્યું, કેન્દ્ર સરકાર રાજ્યની એન્જસીઓ સહિત તમામ તપાસ એજન્સીઓ પર નિયંત્રણ રાખવા ઇચ્છે છે. મોદીએ રાજીનામું આપીને ગુજરાત પરત જવું જોઇએ. આ એક વ્યક્તિ અને એક પાર્ટીની સરકાર છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં ભાજપા સરકાર વિરુદ્ધ મમતા બેનરજીની લડતમાં કોંગ્રેસ, સપા, બસપા, આરજેડી સહિત અન્ય રાજકીય દળોનું સમર્થન મળ્યું હતું. સોમવારે આરજેડી નેતા તેજસ્વી યાદવ અને ડીએમકે નેતા કનિમોઇ કોલકાતા પહોંચ્યા હતા અને મમતાના ધરણાંમાં સામેલ થયા હતા. બીજી તરફ CBI બનામ મમતા સરકાર મામલે CBIની બે અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનવણી કરતા નિર્ણય આપ્યો હતો કે, પોલીસ કમિશનરની ધરપકડ નહી કરાય, પરંતુ સીપી રાજીવ કુમારે CBI સામે હાજર થવુ પડશે.  સોમવારે CBI તરફથી રજૂ કરાયેલ સોલિસિટર જનરલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, શારદા ચિટફંડ કૌભાંડ મામલામાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર પૂરાવાઓ સાથે છેડછાડ કરી રહ્યા છે.    

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here