
અમદાવાદ ગાયત્રી પરિવાર મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા તાજેતર અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાન અકસ્માત માં મૃત્યુ પામનાર સમગ્ર દિવંગત આત્મા ની શાંતિ સદગતિ અને સારવાર લઈ રહેલ દર્દી જલ્દી સાજા થાય અને અવસાન પામેલ ના પરિજનો ને હિંમત પ્રાપ્ત અર્થે શાહીબાગ ખાતે આવેલ ગાસીરામ ચૌધરી હૉલ ખાતે તા.૧૫/૦૬/૨૫ રવિવાર ના રોજ રાત્રે ૯-૦૦ કલાકે ૨૦૦ કરતા વધારે પરિજનો ની હાજરી માં શ્રદ્ધાંજલિ અર્પી શાંતિપાઠ કરવામાં આવેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રણછોડભાઈ પટેલ ડાહીબેન પટેલ ના સ્વહસ્તે પૂજન વિધિ ક્રમ સંપન્ન કરવામાં આવેલ જેનું સફળ કર્મકાંડ ગાયત્રી શક્તિપીઠ માણસા ના ટ્રસ્ટી મંગળભાઇ પટેલ દ્વારા કરાવવામાં આવેલ.સાથે કૈલાશબેન હંસાબેન, કમલાબેન, મીનાબેન , જાગૃતિબેન , અલ્પાબેન વગેરે બહેનો નો સાથ સહકાર પ્રાપ્ત થએલ.