Wednesday, August 5, 2026
HomeGujaratવોર હીરો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાત લેફ્ટનન્ટ જનરલ અશોક કુમાર જિંદાલે આઈઆઈએમ...

વોર હીરો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાત લેફ્ટનન્ટ જનરલ અશોક કુમાર જિંદાલે આઈઆઈએમ રાયપુરના ઈમર્જિંગ મેનેજર્સ બૂટકેમ્પ ખાતે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ભવિષ્યના ઉદ્યોગસાહસિકો તૈયાર કરવા માટે માન્યતાપ્રાપ્ત અગ્રણી સંસ્થા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ), રાયપુર-એ આગામી ૨૦૨૫-૨૭ની બેચ માટે ૨૨મી થી ૨૯મી જૂન દરમિયાન યોજાયેલા 8 દિવસના ઇમર્જિંગ મેનેજર્સ બુટકેમ્પનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. આ બુટકેમ્પની રચના ભારતના ભાવિ વ્યાપારીઓમાં વહીવટી ક્ષમતાઓ, નૈતિક સંવેદનશીલતા અને સમુદાય ચેતનાને વિકસાવવા માટે કરવામાં આવી હતી. સમાપન કાર્યક્રમમાં જેમણે પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ) જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત કરનાર અને યુદ્ધમાં તેમની વિશિષ્ટ સેવા માટે યુદ્ધ સેવા મેડલ મેળવનારા ભારતના પ્રથમ ડૉક્ટર તથા એઈમ્સ રાયપુરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ, લેફ્ટનન્ટ જનરલ અશોક કુમાર જિંદાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરણાદાયક સૈન્ય અને તબીબી યાત્રામાંથી મળેલા જ્ઞાન સાથે સંબોધન કરતા લેફ્ટનન્ટ જનરલ જિંદાલે ઉભરતા મેનેજરોને “આરોગ્ય સંભાળમાં નફાના હેતુઓથી ઉપર નૈતિકતાને સ્થાન આપવા” અને સમુદાયના કલ્યાણ માટે કાર્ય કરવાનું આહવાન કર્યું હતું; તેમણે વિદ્યાર્થીઓને નવીન ઉકેલો લાવવા માટે આરોગ્ય સંભાળમાં ડિજિટલ ટ્વીન મોડેલિંગના માર્ગની તજવીજ કરવા જણાવ્યું હતું અને ‘અંગ દાન’નું મહત્વ
સમજાવ્યું હતું. સમાપન સમારોહમાં આઈઆઈએમ રાયપુરના પ્રતિષ્ઠિત કર્મચારીગણ જેમ કે આઈઆઈએમ રાયપુરના ડિરેક્ટર પ્રો. રામ કુમાર કાકાણી, પ્રો. સત્યસિબા દાસ અને પ્રો. દિપ્તિમાન બેનર્જી પણ જોડાયા હતા. તેમણે આ વાત પર ભાર મૂક્યો હતો કે આજના જટિલ વિશ્વમાં નેતૃત્વ માટે ફક્ત લોકો અથવા પ્રક્રિયાઓનું સંચાલન કરવાની યોગ્યતામાં જ નહીં, પરંતુ સ્થિતિસ્થાપકતા, દ્રષ્ટિ અને સેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાની પણ જરૂર છે. આઈઆઈએમ રાયપુરના ડિરેક્ટર પ્રો. રામ કુમાર કાકાણીએ બુટકેમ્પના સાર પર પ્રવચન આપતા જણાવ્યું હતું કે, “વિશ્વ ગતિને મહત્વ આપે છે ત્યારે અમે આઈઆઈએમ રાયપુરમાં ગહનતાને મહત્વપૂર્ણ માનીએ છીએ. ઇમર્જિંગ મેનેજર્સ બુટકેમ્પ ફક્ત વિદ્યાર્થીઓને રાહતનો અનુભવ કરાવવા માટે નથી; તે માનસિક અવરોધોને તોડવા વિશે છે. તે વ્યક્તિગત શ્રેષ્ઠતાથી સામૂહિક હેતુ તરફ અને શીખવાથી સેવા તરફ માનસિકતાના પરિવર્તનને પ્રોત્સાહન આપે છે. આ એ સ્થળ છે કે જ્યાં નેતૃત્વ મૌન, પરસેવા અને સેવાથી શરૂ થાય છે.” બુટકેમ્પમાં માનનીય નિવૃત્ત આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓનો સમાવેશ થતો હતો. તેમાં ૧૦૦ વર્ષથી વધુનો સંચિત CXO-સ્તરનો મેનેજમેન્ટ અનુભવ ધરાવતા કોર્પોરેટ નિષ્ણાતો પણ સામેલ હતા, જેમ કે ડૉ. પુષ્પ કુમાર જોશી, ડૉ. પ્રેમ સાગર મિશ્રા, શ્રી વિનોદ પી. મેનન, શ્રી સતીશ આનંદ, શ્રી મહાંકાલી શ્રીનિવાસ રાવ, શ્રી સંદીપ રોય, શ્રી રાકેશ મિશ્રી અને સુશ્રી પૂર્ણિમા ડોર.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here