
હળવો વરસાદ પડે તેવી શક્યતા અને બાકીના દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે. વર્ષ 2013, 2023 અને 2024માં નવરાત્રિમાં વરસાદ આવ્યો હતો. ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી લંબાઈ શકે છે.ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રિ. આ દિવસોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. લોકોમાં અનેરો થનગનાટ હોય છે. મહિના પહેલા શોપિંગ શરૂ થઈ જાય છે. આવામાં લોકોના રંગમાં ભંગ પડી શકે તેવા સમાચાર આવ્યા છે. નવરાત્રિના પહેલા 3 નોરતામાં થંડરસ્ટોર્મ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. જોકે, તેના બાદના ત્યાર પછી શક્યતા નહિવત્ છે.આ વર્ષે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં અપરએર સાઇક્લોનિક સરક્યુલેશન, લો-પ્રેશરની સિસ્ટમને લીધે ચોમાસું લંબાવાની શક્યતા છે. જેને કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદનું જોર યથાવત્ રહી શકે છે. ખાસ કરીને આ વર્ષે 21થી 24 સપ્ટેમ્બર વરસાદી ઝાપટાથી લઈને હળવા વરસાદની શક્યતા છે. ત્યાર બાદ વરસાદની શક્યતા નહિવત્ છે. જોકે વરસાદ પડશે તેની પૂરતી અને સ્પષ્ટ માહિતી 19થી 20 સપ્ટેમ્બર આસપાસ આપી શકાશે.છેલ્લાં બે વર્ષથી ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયો છે, જેને કારણે નવરાત્રિમાં વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે પણ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમ સક્રીય થતાં 2023, 2024માં નવરાત્રિ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. આ વર્ષે પણ આ સિસ્ટમ સક્રિય છે. વર્ષ 2013, 2024માં નુવરાત્રિમાં વરસાદ પડ્યો હતો.


