Friday, June 5, 2026
HomeAhmedabadગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ -...

ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – શ્રી મોરારિબાપુ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા માનસ ગોપનાથ’ પ્રારંભ વેળાએ વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસનાએ સનાતન વૈદિક આદેશ હોવાનું ભારપૂર્વક જણાવ્યું. ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાની સાધના ભૂમિ, જ્યાં શ્રી કૃષ્ણ લીલા સાક્ષાત્કાર પામ્યા તે ગોહિલવાડનાં સમુદ્ર કિનારે સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા પ્રારંભ થયો છે. શ્રી મોરારિબાપુએ કથા મંગલાચરણ કરાવતાં આ સ્થાનનું મહત્વ ત્યાં કથા મહાત્મ્ય સાથે માત્ર સાત દિવસની સાધનામાં શ્રીનરસિંહ મહેતાને હરિ અને હર મળ્યા તે આ સ્થાન તેમ જણાવી તેમના વિવિધ સ્મરણો વાગોળ્યા. વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ હોવાનું ભારપૂર્વક જણાવ્યું. ક્થા પ્રવાહ શરૂ કરતાં પહેલા સ્વામી શ્રી કરપાત્રીજી દ્વારા રામકથા સાત કાંડની ભાવ વ્યાખ્યા રજૂ કરતાં કહ્યુંકે, બાલકાંડ એ સંકલ્પ, અયોધ્યાકાંડ એ સંસ્મરણ, અરણ્યકાંડ એ સંતૃપ્તિ, કિષ્કિંધાકાંડ એ સંરક્ષણ, સુંદરકાંડ એ સંતપ્ત, લંકાકાંડ એ સંઘર્ષ અને ઉત્તરકાંડ એ સંસ્પર્શ તત્ત્વ સાથેનાં સોપાનો છે. આ સાત સોપાનો નિસરણી રૂપ છે, જે ચડાવી અને ઊતારી શકે છે. ક્થા પ્રારંભ સંવાદ સાથે વાણી, વિનાયક…વગેરેની ક્રમશઃ વંદના પ્રસ્તુત કરી કથા પ્રવાહ આગળ વધાર્યો. શ્રી મોરારિબાપુએનરસૈયાની પ્રસંગ કથા સાથે કહ્યું કે, આપણી આસ્થા ઊંડી હોય તો આજે પણ ઈશ્વર હૂંડી સ્વીકારે છે.રામકથાના યજમાન ભક્તકવિ નરસિંહ મહેતાની જીવંત ચેતના હોવાના ભાવ સાથે નિમિત્તમાત્ર મનોરથી શ્રી રમાશંકરબાજોરિયા અને શ્રી શુભોદય બાજોરિયા પરિવાર દ્વારા પોથીયાત્રા કથા સ્થાન ચિત્રકુટધામ પંહોચી હતી. ગોપનાથ બ્રહ્મચારી જગ્યાના ગાદીપતિ શ્રી સીતારામબાપુએ આ કથા પ્રસંગની પ્રસન્નતા વ્યક્ત કરી. રામકથાના યજમાન ભક્તકવિ નરસિંહ મહેતાની જીવંત ચેતના હોવાના ભાવ સાથે નિમિત્તમાત્ર મનોરથી શ્રી રમાશંકર
બાજોરિયા અને શ્રી શુભોદય બાજોરિયા પરિવાર દ્વારા પોથીયાત્રા કથા સ્થાન ચિત્રકુટધામ પંહોચી હતી. ગોપનાથ બ્રહ્મચારી જગ્યાના ગાદીપતિ શ્રી સીતારામબાપુએ આ કથા પ્રસંગની પ્રસન્નતા વ્યક્ત કરી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here