Wednesday, August 5, 2026
HomeGujaratનડિયાદ સંતરામ મંદિરમાં દેવદિવાળીનો અલૌકિક નજારો

નડિયાદ સંતરામ મંદિરમાં દેવદિવાળીનો અલૌકિક નજારો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

નડિયાદના સુપ્રસિદ્ધ અને ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન સંતરામ મંદિરમાં બુધવારે દેવદિવાળીના પાવન પર્વની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંધ્યાકાળના સમયે સમગ્ર મંદિર પરિસર હજારો દીવડાઓની અલૌકિક રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું, જેણે એક અદ્ભુત અને તેજોમય નજારો સર્જ્યો હતો. આ ભવ્ય દીપોત્સવ અને ત્યારબાદ થયેલી આતશબાજીના સાક્ષી બનવા માટે મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેના કારણે આખો વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ દેવદિવાળીના શુભ અવસર નિમિત્તે સંતરામ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે મંદિરના પરિસરમાં હજારો દીવડાવો પ્રગટાવવામાં આવતા સમગ્ર વાતાવરણ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. આ અલૌકિક દ્રશ્યો જોઈને ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.આ દિવ્ય દીપોત્સવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા, જેના કારણે મંદિર પરિસર ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. દીપોત્સવ બાદ શાનદાર આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાં ફેલાયેલા આતશબાજીના રંગો અને નીચે દીવડાઓની રોશનીએ એક અનોખો નજારો સર્જ્યો હતો. અનેક ભક્તોએ આ સુંદર અને યાદગાર દ્રશ્યને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી આ પળને યાદગાર બનાવી હતી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here