Wednesday, August 5, 2026
HomeGujaratપરમ તત્વ માતા પણ બની શકે છે અને બાપ પણ બની શકે.

પરમ તત્વ માતા પણ બની શકે છે અને બાપ પણ બની શકે.

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

પરમ સત્ય સામે આવે ત્યારે નાનકડા સત્યનું બલિદાન દેવાતું હોય છે. ઉષા,જાગૃતિ,સંધ્યા,નિશા અને નિદ્રા-પ્રકૃતિ પંચક છે.ઈશ્વર મળી ગયા પછી પણ યજ્ઞ,દાન અને તપ છોડવા ન જોઈએ. અનેક સંતો-મહંતો નામી કલાકારો અને શબ્દ સાધકોની બહોળી હાજરી વચ્ચે અત્રે મેદાન ઘાટકોપર ખાતેચાલતી રામકથા સાતમા દિવસમાં પહોંચી ત્યારે જણાવ્યું કે આપણે બધાએ રાષ્ટ્રને માતા પણ કહી છે અનેપિતા પણ કહ્યું છે.વંદે માતરમ કહી અને બંકિમ બાબુએ મા ના રૂપમાં વંદના કરી છે.રાષ્ટ્ર પિતા પણ છે,પુરુષ છે.સારા વક્તવ્યના માલિક રાષ્ટ્રપુરુષ દિવંગત અટલ બિહારી બાજપાઈએ રાષ્ટ્રને રાષ્ટ્રપુરુષ કહ્યું છે.એમાં મસ્તક, કાન,ખભા,કટી ભાગ,ચરણ શું છે એની આખી છબી પણ રજૂ કરી છે.બહુધા મા ક્યારેય બાપ નથી બની શકતી,બાપ ક્યારેય મા નથી બની શકતો.પરંતુ પરમ તત્વ,ઈષ્ટ,દેવ,ગુરુ,ઇષ્ટ શાસ્ત્ર-જે પરમ છે એ માતા પણ બની શકે છે અને બાપ પણ બની શકે. પરમ સત્ય સામે આવે ત્યારે નાનકડા સત્યનું બલિદાન દેવાતું હોય છે.આથી જ પરમ પવિત્ર,પરમપાલન,પરમભાવન,પરમ કરુણા,પરમ પ્રેમ,પરમ તીર્થ,પરમ મંત્ર,પરમસુત્ર,પરમ ગ્રંથ.. આવા ઘણા અર્થ થાય.પરમ છે જે આપણી માતા બની શકે છે રાષ્ટ્ર પણ પરમ છે એટલે જ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ,ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ..પરમાત્માને એવું કહેવાય છે.પરમાત્મા આપણા માટે બધું જ છે પરંતુ પરમપુરુષ મળી જાય તો સમજો કે આપણને મા,સખા,ભાઈ,ભગિની બધું જ મળી ગયું છે. પ્રકૃતિમાં પણ એક માતૃ પંચક છે જેને આપણે પ્રકૃતિ પંચક કહી શકીએ. જેમાં છે:ઉષા-ઉષા તત્વ માતા છે.ઓશો જેને અમૃત વેળા કહે છે.આપણે છેલ્લી વખત સૂર્ય ક્યારે જોયો હશે!કોઈ જાણતું નથી,સતત દોડધામ..સાથે-સાથે બાપુએ જણાવ્યું કે ફરી એક વર્ષ પછી બોરીવલીમાં કથા ગાનનો મનોરથ છે . મન,બુદ્ધિ,ચિત રાખવું પણ અહંકારને ઓવરટેક કરી જાઓ. જાગૃતિ આપણી માતા છે.એટલે જ કઠોપનિષદનો મંત્ર ઉત્તિષ્ઠત: જાગ્રત: પ્રાપ્ય વરાનિબોધત.. ને પોતાનો જીવન મંત્ર વિવેકાનંદજીએ બનાવ્યો. સંધ્યા માતા છે.સંધ્યા વખતે ઈશ્વર અને હરિના નામનું સ્મરણ વધારે ફળદાઈ છે.કવિ દાદે સંધ્યા ઉપર પદ પણ લખ્યું છે. એ જ રીતે નિશા એટલે કે રાત્રી પણ માતા છે.ભજન પુરુષો રાત્રીના જાગતા હોય છે. નિંદ્રા એ આપણી મા છે.જે દિવસભરનો થાક ઉતારી આપે છે. એ જ પ્રકારે બીજું એક માતૃ પંચક જેમાં એક માતા રામ તુ,લક્ષમણમાતુ,ભરત માતા,હનુમંત માતા અને સીતા માતાનું માતૃ પંચક છે. બાલકાંડમાં ત્રણ વખત પ્રગટ શબ્દ આવ્યો છે જે યજ્ઞ,દાન અને તપ તરફ સંકેત કરે છે.આ ત્રણેય વસ્તુ બુદ્ધિમાનની બુદ્ધિને વારંવાર શુદ્ધ કરે છે.એટલે જ ઈશ્વર મળી ગયા પછી પણ યજ્ઞ,દાન અને તપ છોડવા ન જોઈએ. રામ પ્રાગટ્ય પછી જાણે એક મહિનાનો દિવસ થયો.ચારે રાજકુમારોનો નામકરણ સંસ્કાર થયો . નામકરન કર અવસર જાની; ભૂપ બોલે પઠએ મુનિ ગ્યાની, જો આનંદ સિંધુ સુખ રાસિ; સિકર તૈ ત્રૈલોક સુપાસી, સો સુખ ધામ રામ અસ નામા; અખિલ લોક દાયક વિશ્રામા ચુડાકરણ અને ગુરુ પાસે વિદ્યાસંસ્કાર માટે ગયા.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here