
તેલંગાણા: આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને નિઝામાબાદમાં એક સભાને સંબોધતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને RSS પર આકરા પ્રહારો કર્યા, તેમણે પીએમ મોદી પર દ્વેષ અને ધર્મના નામે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “ગોલવલકરે એક મેગેઝિનમાં લખ્યું હતું કે,સોમનાથ મંદિરની લૂંટમાં હિન્દુ રાજાઓ સામેલ હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કહે છે કે, આપણે ઇતિહાસનો બદલો લેવો પડશે. રાવણની ક્રૂરતા, મહાભારતમાં કૌરવોના દુષ્ટ કાર્યોનો બદલો કોણ લેશે? દિલ્હીમાં શીખોના રક્તપાતનો બદલો કોણ લેશે? દેશમાં ભૂખ્યા સૂતા લાખો બાળકોનો બદલો કોણ લેશે? બદલો છોડો, પહેલા પરિવર્તન લાવો…”આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને નિઝામાબાદમાં એક સભાને સંબોધતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ગોલવાલકરે ઓર્ગેનાઈઝર મેગેઝિનમાં લખ્યું હતું કે, સોમનાથ મંદિરને જ્યારે લૂંટવામાં આવી રહ્યું હતું ત્યારે હિન્દુ રાજાઓ પણ તેમા સામેલ હતા. પીએમ મોદીને પ્રશ્ન કરતા ઓવૈસીએ કહ્યું કે, બોલો કોણ હતા આ લોકો ?
પીએમ મોદી પર નિશાન સાધતા ઓવૈસીએ આગળ કહ્યું હતું કે, તેઓ હંમેશા નફરતની વાત જ કરે છે. બદલો લેવાની ભાવના છોડો પહેલા તમે બદલો. તમારી જવાબદારી શું છે એ જુઓ. RSS પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું હતું કે, આપના એક કાર્યકરનું નામ બતાવો જેણે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હોય કે, અંગ્રેજોની ગોળી ખાધી હોય.


