Saturday, March 7, 2026
HomeReligionકાનજી તારી મા કહેશે પણ...આ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ અવસ્થા દર્શાવે છે?

કાનજી તારી મા કહેશે પણ…આ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ અવસ્થા દર્શાવે છે?

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

કાનજી તારી મા કહેશે પણ…આ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ અવસ્થા દર્શાવે છે?

હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજનાં સમયમાં લગભગ સૌ કોઈ ને કોઈ વાતે માનસિક તનાવમાં છે, અને એમાં પણ ખાસ કરીને વચલી પેઢી એટલે કે વયસ્ક! જેણે લગભગ જવાબદારીમાં જ જીવન પૂરું કર્યું! પણ ક્યારેક મિત્રોની મહેફિલ જામે તો, બાળપણ,અને કિશોર અવસ્થાની એ સફર ફરી આંખ આગળથી પસાર થાય! સાવ નાનાં હોઈએ, ઘરમાં બધાં જ લાડ કરે! કાલું કાલું બોલે, હુલામણાં નામથી બધાં બોલાવે, સૌને જાણે રમકડું મળી ગયું હોય એમ બધાં એની આગળ પાછળ ફરે! અને એવું લાગે કે એ સમય તો ક્યારેય પાછો આવ્યો જ નહીં! ધીરેધીરે એ સફર સ્કૂલ, કોલેજ,નોકરી, લગ્ન, એમ આગળ વધે! પણ એ આનંદદાયક પળો જીંદગી ભરનું નજરાણું બની જાય! ટૂંકમાં એમનો હક્ક રહેતો! કે એ આપણને કંઈ પણ કહી શકે, અને આપણે પણ એને બધું કહી શકીએ. ભક્ત અને ભગવાન વચ્ચે પણ આવો સંબંધ હોય છે, અને ભક્તિની પરાકાષ્ઠા એ ભક્ત પણ ભગવાનને કહે છે, તું જે માન તે પણ હું તો તને આમ જ બોલાવીશ! આજે ગુરુવાર એટલે પ્રાર્થનાનો ક્રમ અને આવાં જ સુંદર ભાવ વાળી નરસિંહની એક રચના..

*નરસિંહ મહેતા*

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતાં નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી તારી મા….

મોટેભાગે બાળકનું નામ ગમે તે હોય પણ એની માતા એને લાડથી કંઈક જુદાં નામે જ બોલાવતી હોય, અને એટલે નરસિંહ ગોપી ભાવે કહે છે, જશોદા મા લાખ મના કરે પણ, અમે તો તને કાનુડો જ કહીશું! અને જો કોઈ વિરોધ કરશે અથવા નહીં માને તો અમે ગોકુળ છોડી દેશું.

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે… કાનજી તારી મા….

કાના તને જ્યારે માખણ ખાતાં નહોતું આવડતું, અને મોઢું જ્યારે તારું એઠું એટલે કે બગડેલું રહેતું, અને તું જશોદા માતાની બીકે ખૂણામાં સંતાઈ જતો, ત્યારે આ ગોપીઓ જ તને બચાવતી! તારી આવી તો નાની મોટી કેટલીય હરકતો છે, જેના પર અમે પડદો પાડી તને બચાવ્યો છે! અને છતાં અમે તને કાનુડો ન કહી શકીએ ! જે અમને મંજૂર નથી.

ઝુલણી પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે… કાનજી તારી મા….

ઝુલણી નાના બાળકનું અંગરખા નીચે પહેરાતું વસ્ત્ર કે જેને વીંટવાનું હોય. એટલે ગોપી કહે છે કે તને કપડાં પહેરતા નહોતાં આવડતાં ત્યારથી અમે તને સંભાળતા આવ્યા છીએ! તું કોઈ ભરવાડની ગાયનું દૂધ પી જતો, ત્યારે એ ભરવાડ તને ગમે તેમ કહેતો અને ત્યાંથી પણ અમે તને છોડાવતાં! અને છતાં અમે તને કાનુડો કહી ન શકીએ ! એ કેવું.

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે… કાનજી તારી મા….

અને આ બધું જ તું ભૂલી ગયો અને માતાપિતાને જોઈ કાલો ઘેલો થઈ ગયો! શું અમને કોઈ કોડ નહીં હોય, કે તું અમારો પણ છે! અથવા તો શું અમને કોઈ હક્ક નહીં! અમારાં કર્મને કારણે આપણે એક જ સમયમાં અને એ પણ એક જ ગામમાં આસપાસના આંગણામાં સાથે છીએ! એટલે કે જોડાજોડ.. આ બધી ઘટનાનાં અમે સાક્ષી છીએ.

ઘૂટણીયા ભેર હાલતો, ચાલતો, બોલતો કાલું ઘેલું રે…
ભલે મળ્યાં મહેતા નરસિંહનાં સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…

ઘૂંટણિયાથી તું જ્યારે રીખતો, એટલે દોડાદોડ કરતો, અને કાલીઘેલી તોતડી બોલી બોલતો, નરસિંહની પ્રેમ ભક્તિની આ શક્તિ છે, કે એને દ્વાપરની આ ઘટનાનો સાક્ષાત્કાર થયો, એટલે કે એણે એ બધું અનુભવ્યું!

શ્રીકૃષ્ણની બાળ લીલાઓ જાણે એને નજરે દેખાઈ હશે, અને એટલું જ નહીં પણ, પોતે જાણે એ લીલાનો હિસ્સો રહ્યાં હોય, એટલો પોતીકો ભાવ ધરાવે છે. આ રચનાનાં સીધાસાદા શબ્દો દ્વારા ભક્તે ભગવાનનાં દિલમાં પોતાનું સ્થાન મેળવી લીધું. ઘણીવાર વિચાર આવે કે નરસિંહ એ વેદ વેદાંતના પદ પહેલાં લખ્યાં હશે કે ભક્તિનાં?? કારણ કે જીવંત પ્રકૃતિમાં પરમેશ્વરનાં દર્શન એટલું અઘરું નથી, પણ સાવ મૌન કે મુક મૂર્તિમાં એને અનુભવવો, એ ચોક્કસ અઘરું પડે! અને એટલે જ મને લાગે છે, કે નરસિંહ એ ભક્તિનાં પદ પછી લખ્યાં હશે. હવે આ રચનામાં નરસિંહ ડીમડીમ ઘોષ કરતાં કહે‌ છે કે, દુનિયા ભલે તને ઈશ્વર કહે, પણ અમારી માટે એટલે કે ભક્તિ કરનારા માટે તું હજી એ જ કાન છો, જેને માખણ ખાઈને મોઢું સાફ કરતાં પણ નહોતું આવડતું! અમે એ તમામ લીલાઓનો હિસ્સો છીએ ! ઘર કેરાણુ અને ઝૂલણી આ બે શબ્દ “નાગરી ” છે. ઘર કેરાણુ એટલે કે ગોપીઓએ તારી માટે એનુ ઘર એવંમ સંસાર એક કોર (કેરાણે) કર્યો, ત્યારે તું માખણ ખાઈને એઠું મોઢું સંતાડવા ખૂણામાં જઈ શક્યો. ઝૂલણી એટલે નાના બાળકની ધોતી, અને ધોતી પહેરાવવી એટલે અમે તને નિર્વસ્ત્ર પણ જોયો છે, બિલકુલ માતૃભાવ, એટલે કે ઠાકોરજીનું સાવ બાળ સ્વરૂપ જેને આપણે લાલજી કહીએ‌ છીએ. નરસિંહ કૃષ્ણની બાળ લીલાઓમાં કેટલાં ઓતપ્રોત થઈ ગયાં હશે! કે એ પોતાને કૃષ્ણ સાથે ગોકુળનાં એ જ આંગણામાં જુવે છે. પણ નરસિંહ બહુ મોટી વાત કરે છે, એટલે કે કર્મ આપણાં એવાં હોય તો આજે પણ આપણે એની જોડાજોડ ઉભાં રહી શકીએ! ટૂંકમાં જેમ બે પ્રેમીઓ વચ્ચે રુસણા મનામણાં હોય, એમ‌ ભકત અને ભગવાન વચ્ચે પણ રુસણા નો સંબંધ હોય છે, અને એમાં ભક્ત ને ભગવાનને કંઈ પણ કહેવાની પૂરેપૂરી સ્વતંત્રતા હોય છે, અને એટલે જ નરસિંહ કહે છે કે ભલે તું દુનિયા માટે ઈશ્વર છે, પણ મારી માટે તો તું ગોકુળની કુંજ ગલીમાં લીલા કરતો નટખટ નંદલાલ છો! અહીં ગોકુળ શબ્દ ભક્તિ માટે વપરાયો છે અને એમ કહે છે કે અમને કાનુડો કહેવાનો હક્ક નહીં મળે તો ભક્તિ છોડી દેશું! નરસિંહનું કહેવાનું તાત્પર્ય એ છે કે અમે આ બધું છુપાવ્યું, અને પાછાં આટલા લાડ કરીને તારો મહિમા વધાર્યો એટલે લોકો તને ઈશ્વર તરીકે પુજે છે! બાકી તને કોણ પુજે!છેલ્લે છેલ્લે તો નરસિંહ કહે છે કે, ચૌદ ભુવનનાં નાથને એવું તે કયું કર્મ કરવાનું હતું, કે તેને નંદ જશોદાનાં ઘરમાં ઘૂંટણિયા ભરીને આમથી તેમ ફરવું પડ્યું! કાલીઘેલી ભાષામાં બોલવું પડ્યું! તો આ છે નરસિંહના સ્વામી! અને એ એને જ મળી શકે! આપણી પાસે નથી એવી ભક્તિની શક્તિ, કે નથી એવું દાસત્વ, પણ એને મળ્યા એમાંય આટલો ફાયદો થયો! જ્યારે જ્યારે એનાં પદ ગાઈએ છીએ, ત્યારે થોડીક કંઈક અનૂભૂતિ થયાં વગર રહેતી નથી. તો આપણે પણ કૃષ્ણને નરસિંહ જેમ કાનુડો કહી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા.(ભાવનગર)

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here