
ક્લાઉડ સુરક્ષા ક્ષેત્રમાં અગ્રણી કંપની ઝીસ્કેલર, ઇન્ક. એ ભારતની અગ્રણી ટેલિકોમ સેવા પ્રદાતા ભરતી એરટેલ (“એરટેલ”) સાથે ભાગીદારીમાં આજે એઆઈ અને સાઇબર થ્રેટ રિસર્ચ સેન્ટર – ઇન્ડિયા ની શરૂઆતની જાહેરાત કરી. આ બહુ-હિતધારક ડિજિટલ પહેલનો ઉદ્દેશ રાષ્ટ્રીય સાયબર સ્થિતિસ્થાપકતા મજબૂત બનાવવાનો, ટેલિકોમ્યુનિકેશન, બેંકિંગ અને ઊર્જા જેવા ભારતની આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ક્ષેત્રોને સુરક્ષિત કરવાનો તેમજ ઝડપથી વિસ્તરતા ડિજિટલ ઈકોસિસ્ટમમાં વિશ્વસનીય એઆઈ અપનાવને પ્રોત્સાહન આપવાનો છે.
ભારત લાંબા સમયથી ઝીસ્કેલર માટે ટેકનોલોજી ઇનોવેશન અને સાયબર સંશોધનનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે, જ્યાં કંપનીના સંશોધન ટેલેન્ટનો નોંધપાત્ર હિસ્સો સ્થિત છે. આ રિસર્ચ સેન્ટર ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચે સહકાર માટે રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. “ઈન ઇન્ડિયા, ફોર ઇન્ડિયા” ની ભાવના સાથે રચાયેલ આ કેન્દ્રનો હેતુ દેશની સાયબર સુરક્ષા મજબૂત કરવો અને “વિકસિત ભારત” તરફના પ્રવાસમાં ભવિષ્યલક્ષી કુશળ માનવસંસાધન તૈયાર કરવાનું છે.
ભારતી એરટેલ ના એક્ઝિક્યુટિવ વાયસ-ચેરમેન ગોપાલ વિટ્ટલે જણાવ્યું “અમારી પ્રતિબદ્ધતા હંમેશા અમારા ગ્રાહકો અને દેશના ડિજિટલ માળખાની સુરક્ષા કરવાનો રહી છે. ઝેડસ્કેલર સાથેની આ ભાગીદારી એઆઈ ક્ષમતાઓ અને સાયબર સંશોધનના વ્યાપને જોડીને દેશના વિસ્તરતા ડિજિટલ ઈકોસિસ્ટમને સુરક્ષિત બનાવશે. અમે આપણા બજારની વિશિષ્ટ પડકારોને ઉકેલી વધુ સુરક્ષિત અને સ્થિતિસ્થાપક ડિજિટલ ભારત નિર્માણ કરવા પ્રતિબદ્ધ છીએ.”
ઝીસ્કેલર ના સીઈઓ , ચેરમેન અને સ્થાપક જય ચૌધરીએ જણાવ્યું “ભારત અદ્વિતીય વસ્તી સ્તરે ડિજિટલ સિસ્ટમો વિકસાવી રહ્યું છે. આ સ્તરની મહત્ત્વાકાંક્ષા લિગસી ફાયરવોલ અને વીપીએન થી સુરક્ષિત કરી શકાતી નથી. ઝીરો ટ્રસ્ટ આધારિત આધુનિક આર્કિટેક્ચર જરૂરી છે. એઆઈ એન્ડ સાઇબર થ્રેટ રિસર્ચ સેન્ટર – ઇન્ડિયા દ્વારા અમે વિશ્વની સૌથી મોટી સુરક્ષા ક્લાઉડની શક્તિ ભારતના જાહેર અને ખાનગી ક્ષેત્રોને સુરક્ષિત કરવા સમર્પિત કરીશું.”
ભારત હાલમાં પેઢીગત ડિજિટલ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં ક્રિટિકલ ક્ષેત્રોમાં એન્ટરપ્રાઈઝ સ્તર નહીં પરંતુ વસ્તી સ્તરે સિસ્ટમો ઉભી થઈ રહી છે – જેના કારણે રાષ્ટ્રીય હુમલા સપાટી (એટેક સરફેસ)માં નોંધપાત્ર વધારો થયો છે. સાથે સાથે, ખતરો મશીન ગતિએ વિકસિત થઈ રહ્યો છે, જ્યાં રાષ્ટ્ર પ્રાયોજિત અને આર્થિક લાભ માટે કાર્યરત હુમલાખોરો એઆઈ નો ઉપયોગ કરીને મિનિટોમાં નબળાઈઓ શોધી અને તેનો દુરુપયોગ કરી રહ્યા છે.
ઝીસ્કેલર ની થ્રેટ લેબ્ઝ ઇન્ડિયા ટીમે દર મહિને લાખો ઘૂસણખોરી પ્રયાસો નોંધ્યા છે, જેમાં મુખ્યત્વે નીચેના અભિયાનો સામેલ છે:
પ્રાદેશિક ભૂરાજકીય તણાવના વિષયનો ઉપયોગ કરીને રાષ્ટ્ર પ્રાયોજિત સાયબર જાસૂસી પ્રવૃત્તિઓ, જેઓએ અનેક ભારતીય સંસ્થાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો;
ભારતના ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઘૂસણખોરીના વધતા પ્રયાસો – 20,000 સ્ત્રોતોથી 1.2 મિલિયન ઘૂસણખોરી પ્રયત્નો, જે 58 ભારતીય ડિજિટલ સંસ્થાઓને નિશાન બનાવતા હતા;
અનેક ઉદ્યોગોને લક્ષિત કરતા ઝીરો-ડે એક્સ્પ્લોઇટ પ્રયાસોમાં વધારો.
ખતરાની જટિલતા વધતાં પરંપરાગત પરિઘ આધારિત સુરક્ષા મોડેલો હવે પૂરતા નથી. આવશ્યક સેવાઓમાં વિક્ષેપ રાષ્ટ્રીય આર્થિક સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે. તેથી, “સિક્યોર બાય ડિજાઇન” આધાર અને આધુનિક આર્કિટેક્ચરલ પરિવર્તન જરૂરી બની ગયું છે.


