Friday, June 26, 2026
HomeNew Delhiયુટીઆઈ વેલ્યુ ફંડ- સમગ્ર માર્કેટ કેપમાં વ્યાપક પ્રમાણમાં તકો શોધતું ફંડ

યુટીઆઈ વેલ્યુ ફંડ- સમગ્ર માર્કેટ કેપમાં વ્યાપક પ્રમાણમાં તકો શોધતું ફંડ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

આર્થિક જગતના નિષ્ણાતો સામાન્ય રીતે એવી સલાહ આપતા હોય છે કે રોકાણકારોએ એવા ફંડોમાં રોકાણ કરવું જોઈએ કે જે બજારોને લગતા લગભગ સંપૂર્ણ સ્પેક્ટ્રમને કવર કરતાં હોય. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તે  સારી રીતે ડાઈવર્સિફાઈડ ફંડ્સ હોય તેમાં રોકાણ કરવું જોઈએ. કેટલાક વલણો પૈકી એક વલણ એવું પણ છે કે જેમાં લાર્જકેપ ફંડો તરફ લોકો વધુ પ્રમાણમાં આકર્ષિત થઈ રહ્યા છે, કારણ કે બજાર મૂડીકરણની બાબતમાં તે મહદઅંશે આશરે 80-85 ટકા જેટલું કવર કરે છે. અલબત લાર્જ કેપ ફંડ વ્યાપક પ્રમાણમાં બજારો/ઈન્ડાઈસિસનું પ્રતિનિધિત્વ કરે છે, પણ રોકાણકારોએ એ વાતને પણ સમજવી જોઈએ કે આ પ્રકારના ફંડો હંમેશા સમગ્ર સ્પેક્ટ્રમમાં રહેલી તકોને પ્રતિબિંબિત કે ગ્રહણ કરતાં નથી. સમગ્ર સ્પેક્ટ્રમ વિવિધ બજાર મૂડીકરણો એટલે કે માર્કેટ કેપિટલાઈઝેશનમાં રહેલી તકો, વિવિધ રોકાણલક્ષી અભિગમ (વૃદ્ધિ વિરુદ્ધ મૂલ્ય) અથવા ત્યા સુધી કે સમગ્ર બજારોના કેટલાક સેગમેન્ટ્સમાં ચક્રિય અભિગમનો પણ સમાવેશ થઈ શકે છે. આ વિસંગતતા અથવા તો વૈવિધ્યસભર બજાર ગતિશીલતા ફંડ મેનેજરોને બજાર મૂડીકરણ એટલે કે માર્કેટ કેપિટલાઈઝેશન સ્પેક્ટ્રમ તથા રોકાણને લગતી સ્ટાઈલ એટલે કે પદ્ધતિઓ માટે અસાધારણ તકો માટે વ્યાપક ક્ષેત્ર પ્રદાન કરે છે અને તે સાથે એ બાબત સુનિશ્ચિત કરે છે કે સંબંધિત પોર્ટફોલિયો જોખમ એટલે કે પોર્ટફોલિયો રિસ્ક ઓછું હોય.

યુટીઆઈ વેલ્યૂ ફંડ એક એવું ફંડ છે કે જે કોઈ આપવામાં આવેલ શેર એટલે કે સ્ટોકના સાપેક્ષ આંતરિક મૂલ્યના સંદર્ભમાં યોગ્ય તકોને શોધે છે. તેનો અર્થ એવો થાય છે કે રોકાણના “મૂલ્ય”ની શૈલીનું પાલન કરવા તથા બજાર મૂડીકરણમાં કે જ્યાં “મૂલ્ય”નો અર્થ શેરોને તેમના આંતરિક મૂલ્યથી ઓછા ભાવ પર ખરીદવો. આંતરિક મૂલ્ય ફક્ત રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે, જે કંપની પોતાના શેરધારકો માટે એક નિયત સમયગાળામાં સર્જન કરે છે. ઓછાં મૂલ્યા ધરાવતા કારોબારના બે છેડા પર સ્પેક્ટ્રમને જોઈ શકાય છે. એક બાજુ બજાર સ્પર્ધાત્મક લાભોની ટકાઉપણાની સ્થિતિને એપ્રેસિએટ કરી શકે છે અને/અથવા કંપની માટે વિકાસના માર્ગની લંબાઈને ઓછી આંકી શકે છે. આ કંપનીઓ ચક્રિય તથા સરેરાશ રિવર્સનના માપદંડોને નજર અંદાજ કરે છે. સ્પેક્ટ્રમના બીજા છેડા પર એવી કંપનીઓ હોય છે કે જે ચક્રિય કારણો, પર્યાવરણમાં પરિવર્તન અથવા પોતાના અઘાઉના કાર્યોને લીધે પડકારોનો સામનો કરે છે. જોકે, જો મુખ્ય બિઝનેસ તંદુરસ્ત હોય અને વધારે સારા ભવિષ્ય (રોકડ પ્રવાહ, વળતરનું પ્રમાણ)નો માર્ગ દેખાય છે તો તેમનું ઓછું મૂલ્યાંકન એક આકર્ષક એન્ટ્રી પોઇન્ટ રજૂ કરે છે. બન્ને કિસ્સામાં કારોબારને ખરીદવાની તક એવી છે કે કે જે સંબંધિત અપેક્ષાની તુલનામાં સસ્તા હોય છે.

યુટીઆઈ વેલ્યુ ફંડ વર્ષ 2005માં શરૂ થયું હતું. આ ફંડ 31 જાન્યુઆરી, 2026ના રોજ આશરે રૂપિયા 9,800 કરોડનું એયુએમ ધરાવે છે. પોર્ટફોલિયો લાર્જ કેપ આધારે રહેશે ત્યારે મિડકેપનું રોકાણ વેલ્યુએશનની વિવિધતાના આધારે વધુ વ્યાપકતા ધરાવી શકે છે. 31 જાન્યુઆરી, 2026 સુધીમાં આ ફંડે આશરે 64 ટકા લાર્જ કેપ્સમાં રોકાણ કર્યું છે અને બાકીનું મિડ અને સ્મોલ કેપમાં રોકાણ ધરાવે છે. આ સ્કીમનું ટોચનું રોકાણ એચડીએફસી બેન્ક લિમિટેડ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઈન્ફોસિસ લિમિટેડ, એક્સિસ બેંક લિમિટેડ, ભારતી એરટેલ લિમિટેડ, સ્ટેટ બેંન્ક ઓફ ઇન્ડિયા લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ, ટેક મહિન્દ્રા લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં છે, જે પોર્ટફોલિયો હોલ્ડિંગ્સના આશરે 44 ટકા હિસ્સો ધરાવે છે.

યુટીઆઈ વેલ્યુ ફંડ એવા ઈક્વિટી રોકાણકારો માટે ઉપયોગી બની શકે છે કે જે પોતાના ઈક્વિટી પોર્ટફોલિયો બનાવવા ઈચ્છે છે અને લાંબા ગાળાનો મૂડીગત લાભ મેળવવા ઈચ્છે છે. આ ફંડ મધ્યમ જોખમ પ્રોફાઈલ ધરાવતા રોકાણકારો માટે ઉપયુક્ત છે કે જે બજારની સ્થિતિને આધિન મધ્યમથી લાંબાગાળામાં યોગ્ય વળતરની તકોને શોધે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here