Wednesday, August 5, 2026
HomeNew Delhiજલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ અર્પણ દિવસ ઉજવાયો

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ અર્પણ દિવસ ઉજવાયો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ (DDWS) દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાન “જલ મહોત્સવ 2026″ની શરૂઆત થઈ ગઈ છે. આ મહોત્સવ 8 માર્ચથી 22 માર્ચ સુધી ચાલશે. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર જળ અર્પણ દિવસની દેશવ્યાપી ઉજવણી કરવામાં આવી, જેને “સુજલામ શક્તિ દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થાને સમુદાયના હાથમાં મજબૂત બનાવવાનો અને જળ જીવન મિશન હેઠળ પાણી સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના રહેજ ગામમાંથી આ મહોત્સવનો શુભારંભ કર્યો. આ કાર્યક્રમમાં ગામની મહિલાઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મંત્રીએ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી, જ્યાં જળ જીવન મિશનની વિવિધ યોજનાઓ દર્શાવવામાં આવી હતી. તેમણે પાણીની ગુણવત્તા પરીક્ષણ કરતી મહિલા જૂથો સાથે વાતચીત કરી અને ફિલ્ડ ટેસ્ટ કીટ (FTK)નો ઉપયોગ કેવી રીતે થાય છે તે જોયું હતું.

જળ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામીણ પીવાના પાણી પુરવઠાની યોજનાઓને ગ્રામ પંચાયત અને ગ્રામ્ય પાણી તથા સ્વચ્છતા સમિતિ (VWSC)ને ઔપચારિક રીતે સોંપવામાં આવી હતી. આ પ્રતિકાત્મક કાર્યવાહીથી સમુદાયને પોતાની પાણી વ્યવસ્થાની જવાબદારી અને માલિકીનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો. ગામના પાણીના માળખાગત સ્થળોએ જલ બંધન પ્રવૃત્તિ કરવામાં આવી, જ્યાં લોકોએ પવિત્ર દોરા બાંધીને જળસ્ત્રોતોના રક્ષણ અને જાળવણી માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here