
બ્લોકને કારણે ટ્રેન સંખ્યા 14822 (સાબરમતી–જોધપુર) તારીખ 22 એપ્રિલ 2026ના રોજ સાબરમતી–આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
પશ્ચિમ રેલવે દ્વારા પાલનપુર–અમદાવાદ રેલખંડ પર ટ્રેનોની ગતિ ક્ષમતા 130 કિમી/કલાક સુધી વધારવા માટે અવસંરચના સશક્તિકરણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં કરજોડા–પાલનપુર સ્ટેશનો વચ્ચે આવેલા મુખ્ય પુલ નં. 867ના એપ્રોચ પર જિયો સેલ અને બ્લેન્કેટિંગ સામગ્રી નાખવામાં આવી રહી છે.
આ કાર્ય પૂર્ણ થયા પછી આ ખંડમાં ટ્રેનોની ગતિમાં નોંધપાત્ર વધારો થશે, જેના પરિણામે મુસાફરોનો મુસાફરી સમય ઓછો થશે અને તેઓ પોતાના ગંતવ્ય સુધી વધુ ઝડપથી પહોંચી શકશે. ઉપરાંત, માલગાડીઓની ઝડપી અને સરળ અવરજવર થવાથી માલ પરિવહન પ્રણાલીને પણ મજબૂતી મળશે, જેથી સમગ્ર રેલ સેવાઓની ગુણવત્તામાં સુધારો થશે.
ઉલ્લેખિત કાર્યને સરળતાથી પૂર્ણ કરવા માટે તારીખ 21 એપ્રિલ 2026 (મંગળવાર)ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.
બ્લોકને કારણે ટ્રેન સંખ્યા 14822 (સાબરમતી–જોધપુર) તારીખ 22 એપ્રિલ 2026ના રોજ સાબરમતી–આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.
