Friday, June 5, 2026
HomeAhmedabadએચડીએફસી બેન્ક દ્વારા મહત્વના એમઓયુ થયા

એચડીએફસી બેન્ક દ્વારા મહત્વના એમઓયુ થયા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

અમદાવાદ, તા.૨૫
સીએઆઇટીના તમામ સભ્યોને બેંકિંગના ઉત્પાદનો અને સેવાઓની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડવા માટે એચડીએફસી બેંકએ આજે સીએસસી ઈ-ગવર્નન્સ સર્વિસિઝ ઇન્ડિયા લિમિટેડ અને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) સાથે એમઓયુ કર્યા છે. ૬ કરોડ સભ્યો ધરાવતી સીએઆઇટી ભારતમાં નાના વેપારીઓ અને વ્યવસાયોની હિમાયત કરનારી અગ્રણી સંસ્થા છે. જમીની સ્તરની આ પ્રકારની પહેલવહેલી પહેલને પરિણામે ગ્રામ્ય અર્થતંત્રમાં આમૂલ પરિવર્તન આવશે તથા દેશના આંતરિયાળ વિસ્તારોમાં સક્રિય નાના વેપારીઓને ઘણો ફાયદો થશે. એચડીએફસી બેંક ચાલુ ખાતાના સંચાલન તથા ડિજીટાઇઝેશનને પ્રોત્સાહન આપવા અને ડિજીટલ ઇન્ડિયા ઉદ્દેશ્યોને અનુરૂપ રહી રોકડમાં થતાં વ્યવહારોને ઘટાડવા માટે ભારત ક્યૂઆર કોડ સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડશે. સીએઆઇટીના સભ્યો સરળતાથી સ્મોલ બિઝનેસ ફાઇનાન્સનો લાભ ઉઠાવી શકે તે માટે બેંક હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ સ્મોલ બિઝનેસ મની બેક ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પ્રદાન કરશે. એચડીએફસી બેંકના ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ એન્ડ ઈ-કામર્સના હેડ સુશ્રી સ્મિતા ભગત, સીએસસીના સીઇઓ શ્રી દિનેશકુમાર ત્યાગી અને કન્ફેડરેશન ઓફ આૅલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના નેશનલ સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલ વચ્ચે જયપુર ખાતે આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ સહભાગીદારી અંગે વાત કરતાં સુશ્રી ભગતે જણાવ્યું હતું કે, આ પહેલમાં સહભાગી બનીને અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે, આ પહેલ નાના વેપારીઓના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. ઉદ્યોગસાહસિકો અર્થતંત્રની કરોડરજ્જુ છે અને આ એમઓયુ તેમને વ્યવસાય માટે ધિરાણ અને તેમને સમૃદ્ધ બનાવનારા બેંકિંગ ઉત્પાદનો સરળતાથી પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત આ પહેલ સમાજના તળિયાના વર્ગમાં આર્થિક સાક્ષરતા, આર્થિક સમાવેશન અને આવકના સર્જનના કૌશલ્યો ફેલાવવા સાથે સંબંધિત અમારા હાલમાં ચાલી રહેલા સામાજિક કાર્યક્રમોને પણ ઘણી અનુરૂપ છે. પોતાના ૧ લાખથી પણ વધુ વીએલઈના નેટવર્ક મારફતે બેંકિંગ અને નાણાકીય સેવાઓને દેશના આંતરિયાળ વિસ્તારમાં વસતા લોકોના ઘર સુધી પહોંચાડવા માટે એચડીએફસી બેંકએ સીએસસી એસપીવી સાથે પણ હાથ મિલાવ્યાં છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here