Saturday, March 7, 2026
Homenationalજમ્મુ કાશ્મીર : જનજીવન ફરી પાટા પર, લોકો બહાર દેખાયા

જમ્મુ કાશ્મીર : જનજીવન ફરી પાટા પર, લોકો બહાર દેખાયા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

કાશ્મીરની શેરીઓમાં દોભાલે ફરી ફરી લોકોમાં વિશ્વાસ જગાવવાનો પ્રયાસ કર્યો : કેન્દ્રની સ્થતી પર ચાંપતી નજર

જમ્મુ,તા. ૮
કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં જનજીવનને પાટા પર લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના લોકોમાં આત્મવિશ્વાસ જગાવવા માટેના તમામ પ્રયાસો કરવાની જવાબદારી ટોપ અધિકારીઓને સોંપવામાં આવી છે. સૌથી મોટી જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલને સોંપવામાં આવી છે. બુધવારના દિવસે દોભાલ કાશ્મીરની શેરિઓમાં ફરતા નજરે પડ્યા હતા. ત્રાસવાદથી પ્રભાવિત એવા શોપિયન વિસ્તારમાં તેઓ સામાન્ય લોકોની સાથે ફરતા દેખાયા હતા. બિરયાની ખાતા પણ નજરે પડ્યા હતા. દોભાલે સામાન્ય લોકોને એવી માહિતી આપવાના પ્રયાસ પણ કર્યા હતા કે કલમ ૩૭૦ની નાબુદી રાજ્યના લોકોના વ્યાપક હિતમાં લેવામાં આવ્યા છે. તેમને આ નિર્ણયને લઇને ચિંતા કરવાની કોઇ જરૂર નથી. બીજી બાજુ જમ્મુ કાશ્મીરની Âસ્થતી પર કેન્દ્ર સરકારની બાજ નજર રહેલી છે. સાથે સાથે ખીણ અને દક્ષિણ કાશ્મીરના લોકોના મુડને સમજી લેવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓની ઘુસણખોરીને રોકવા માટેના પણ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ૧૨મી ઓગષ્ટના દિવસે આવનાર ઇદ ઉલ અજહા અને શુક્રવારના દિવસે નમાજને ધ્યાનમાં લઇને પણ સંચારબંધીમાં રાહત આપવામાં આવી શકે છે. કલમ ૩૭૦ની નાબુદી બાદ પ્રથમ વખત ખીણમાં આ પ્રસંગ રહેશે જ્યારે વહીવટીતંત્ર અને કેન્દ્ર સરકાર કાશ્મીરી લોકોની પ્રતિક્રિયાને જાણવા માટે પ્રયાસ કરશે. કાશ્મીરી લોકોના મુડ કેવા છે તે જાણવા માટેના પ્રયાસ થશે. તમામ જવાબદારી હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સંભાળી રહ્યા છે.કાશ્મીરમાં હાલમાં જનજીવનને પાટા પર લાવવા માટેના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. ખીણમાં સુરક્ષા અભૂતપૂર્વ રાખવામાં આવી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here