Friday, June 5, 2026
HomeGujaratAhmedabadનર્મદા નદીથી ભાઇ-બહેનના મૃતદેહ મળતાં ભારે ચકચાર

નર્મદા નદીથી ભાઇ-બહેનના મૃતદેહ મળતાં ભારે ચકચાર

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ભાઇ-બહેન વલસાડના અબ્રાનાના રહેવાસી હોવાનું ખુલ્યુ ઘરે પણ સ્યુસાઈડ નોટની એક કોપી મૂકીને આવ્યા હતા

અમદાવાદ, તા.૨૨
ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના નીલકંઠેશ્વર ઘાટ પરથી વલસાડ જીલ્લાના અબ્રામાની સુંદરવન સોસાયટીના રહેવાસી ભાઇ અને બહેનના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બંનેના મૃતદેહ પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, અમે લોકો રાજીખુશીથી અમારૂ જીવન ટુંકાવીએ છીએ. એમા કોઇનો વાક નથી અને નીચે ત્રણ લોકોની સહી છે. જેથી પોલીસે ભાઇ-બહેનની માતાની શોધખોળ પોલીસે હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડના ધરમપુર રોડ પર આવેલા અબ્રામાની સુંદરવન સોસાયટીમાં રહેતી મહિલા રંજન દોલતરાય સાગર, તેમની પુત્રી મૌશમી(૪૧) અને પુત્ર રામકુમારે(૨૫) ભરૂચ સ્થિચ નર્મદા નદીના નિલકાંઠેશ્વર ઘાટ પર આવીને આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી હતી. જેથી પોલીસે સ્થાનિક ફાયરબ્રિગેડના જવાનોની મદદથી શોધખોળ અને તપાસ કરાવતાં સવારે મંદિરે અને નર્મદા નદીના દર્શનાર્થે આવતા લોકો મારફતે ભાઇ-બહેનના મૃતદેહ ઘાટ પાસે જોયા હતા. જેથી ભરૂચ સી-ડિવિઝન પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો અને તેમના વાલી વારસની શોધખોળ આદરી છે.
પોલીસને તેમના પાકિટમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ત્રણ લોકોના નામ અને સહી હતી. જેથી બંને ભાઇ-બહેનની માતા રંજન દોલતરાય સાગરની શોધખોળ કરી રહી છે કે માતાએ પણ આ ભાઇ-બહેન સાથે આત્મહત્યા કરી હોઇ શકે. જા કે, હજુ સુધી પોલીસને માતાની કોઇ ભાળ હાથ લાગી નથી. પોલીસે કયા કારણસર આ પરિવારના સભ્યોએ આત્મહત્યા કરવાનું પગલું લીધુ તે મુદ્દે પણ તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here