Thursday, June 25, 2026
HomeAhmedabadરૂ.110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે

રૂ.110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામજનોની લાગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર રૂ. 110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણ મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી આસપાસના અનેક ગામોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે.તારાપુર તાલુકાના રિંઝા, નભોઈ, પચેગામ અને દુગારી ગામોના લોકોને ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સાબરમતી નદીનું વહેણ બદલાવાને કારણે ચોમાસામાં આ ગામોના લોકો નદીના સામે કાંઠે જઈ શકતા ન હતા અને ઘણીવાર સંપર્કવિહોણા થઈ જતા હતા. આ વિકટ પરિસ્થિતિ અંગે ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનોની આ રજૂઆત મંજૂર કરી છે. જેમાં રૂ. 110 કરોડની આ માતબર રકમમાં પુલ સહિત અન્ય આનુષંગિક વિકાસ કાર્યોનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી પર ટુ-લેન (બે માર્ગીય) બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, બ્રિજ સુધી પહોંચવા માટે પથ રેખા પર 4 કિલોમીટરનો નવો રસ્તો પણ બનાવવામાં આવશે. ફાળવવામાં આવેલા ભંડોળમાં જમીન સંપાદન, બાંધકામ પહેલાં જરૂરી હાઇડ્રોલિક સરવે, સોઇલ ઈન્વેસ્ટિગેશન (માટી પરીક્ષણ) અને ડિઝાઇનિંગ (આલેખન) જેવી તમામ પ્રવૃત્તિઓના સંભવિત ખર્ચને આવરી લેવામાં આવ્યો છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here