Tuesday, June 30, 2026

Aksheshkumar Savaliya

spot_img

પરોપકારી પ્રવૃત્તિ અને વ્યવસાય વચ્ચે, ટાટાએ નિયંત્રણ રેખા દોરવાની જરૂરિયાત

ટાટા જૂથમાં હાલમાં પર્ફોમન્સ કે નેતૃત્ત્વ અંગેની નહી, પરંતુ કોણ નિયંત્રણનો અને કઇ જવાબદારી હેઠળ ઉપયોગ કરી રહ્યું છે તે અંગેની ચર્ચા ચાલી રહી...

JK Maxx Paints Appoints Akshay Kumar as Brand Ambassador, Reinforcing its Promise of Trust and Performance in the Home Decorative Paints Industry

JK Maxx Paints has appointed Akshay Kumar as its brand ambassador. The move comes as the company looks to strengthen its presence in the home decorative paints segment...

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે જામનગરમાં નવો શોરૂમ શરૂ કર્યો

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે આજે જામનગરમાં તેના નવા શોરૂમનું ઉદ્ઘાટન કર્યું, જે ગુજરાતમાં તેની હાજરીને મજબૂત બનાવે છે અને પશ્ચિમ ક્ષેત્રમાં તેના રિટેલ વ્યાપને વિસ્તૃત...

આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે.  આમ આદમી પાર્ટીએ મોટો ફેરફાર કરતા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી...

વિદેશી સોફ્ટવેર પર નિર્ભરતા ભારતની ડિજિટલ ઈકોનોમી માટે જોખમ ઉભુ કરી રહી છે

ભારતમાં ડિજિટલ ઈકોનોમી ઝડપથી ઉભરી રહી છે, સાથે સાથે નવા જોખમ પણ ઉભરી રહ્યા છે, વિદેશી સોફ્ટવેર અને પ્લેટફોર્મ પર વધતી નિર્ભરતા હવે ફક્ત આઈટી સુધી સીમિત સમસ્યા રહી નથી. તે હવે સીધી રીતે આર્થિક સુરક્ષા અને અંકુશો સાથે જોડાઈ છે. તાજેતરમાં એક મોટી ખાનગી ઓઈલ રિફાઇનિંગ કંપની સાથે જોડાયેલી ઘટનાએ આ જોખમનો પર્દાફાશ કર્યો છે. રાતોરાત હજારો કર્મચારીઓની સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. તેની ઈ-મેઇલ, ક્લાઉડ સેવાઓ અને રોજિંદા વપરાતા ડિજિટલ ટુલ્સે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ અસર ફક્ત ઓફિસો સુધી મર્યાદિત રહી ન હતી, પરંતુ પેટ્રોલ પંપની દેખરેખ અને સુરક્ષા પ્રણાલીઓ સુધી વિસ્તરી હતી. આ સમસ્યા સાથે જોડાયેલો અત્યંત મહત્ત્વનો મુદ્દો એ છે કે, આ માત્ર સાયબર હુમલો ન હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે વિદેશી સોફ્ટવેર કંપનીઓએ પોતાની સેવાઓ બંધ કરી હતી. બીજા શબ્દોમાં કહીએ તો, આ નિર્ણય ભારતની બહાર લેવામાં આવ્યો હોવા છતાં તેની અસર સીધી અહીંના વ્યવસાયો અને સેવાઓ પર અનુભવાઈ હતી. આ ઘટના અત્યંત ગંભીર સવાલ ઉભો કરે છેઃ કંપનીઓ ભારતમાં કાર્યરત હોય અને તેની સિસ્ટમ્સનું નિયંત્રણ વિદેશમાં હોય તો કટોકટીના સમયે કોને પ્રાથમિકતા મળે છે? વર્તમાન પરિસ્થિતિઓ સૂચવે છે કે સંઘર્ષની પરિસ્થિતિઓમાં મોટાભાગે વિદેશી નિયમોને પ્રાથમિકતા મળે છે. આ જોખમ કોઈ એક ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી. બેન્કિંગ, પાવર, ટેલિકોમ અને ઉડ્ડયન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો નોંધપાત્ર ભાગ પણ વિદેશી સોફ્ટવેર પર આધાર રાખે છે. જો આવી સિસ્ટમો થોડા કલાકો માટે પણ બંધ થઈ જાય, તો અબજો રૂપિયાના વ્યવસાયો અને લાખો લોકોની દૈનિક સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. સામાન્ય નાગરિક માટે, તેના પરિણામો સ્પષ્ટ છે. પેટ્રોલ પંપ પર ઇંધણ પુરવઠો ખોરવાઈ શકે છે, બેન્કિંગ સેવાઓ બંધ થઈ શકે છે, અને ડિજિટલ ચુકવણી જેવી પ્રવૃત્તિઓ અચાનક બંધ થઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ અસર લોકોના ખિસ્સા અને રોજિંદા જીવન પર સીધી અસર કરશે. ડેવલપમેન્ટ ઈકોનોમિસ્ટ અને ભારત સરકારના ભૂતપૂર્વ સચિવ અરુણા શર્મા આ અંગે કહે છે, “આ ફક્ત ટેકનોલોજીનો વિષય નથી; તે સાર્વભૌમત્વનો પ્રશ્ન છે. જો કોઈ બીજા પાસે આપણી સિસ્ટમો બંધ કરવાની ક્ષમતા હોય, તો આપણે સમજવું જોઈએ કે નિયંત્રણ સંપૂર્ણપણે આપણા હાથમાં નથી. ભારતમાં ક્ષમતાનો અભાવ નથી. આપણે શેની જરૂર છે, તો આપણે ડિજિટલ પેમેન્ટ જેવા ક્ષેત્રોમાં પોતાની ક્ષમતાઓને પ્રાધાન્ય આપવાની સાથે પોતાના જ સોફ્ટવેર અને સિસ્ટમ વિકસાવવી જોઈએ.” પોલિસીના સ્તરે આ તફાવત આપણે સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ. હાલમાં, ભારતમાં કોઈ સ્પષ્ટ કાનૂની માળખું નથી, જે વ્યાખ્યાયિત કરે કે વિદેશી પ્રતિબંધો અહીંના વ્યવસાયો પર કેવી રીતે અને કેટલી હદ સુધી લાગુ થવા જોઈએ. આ જ કારણ છે કે અચાનક લેવામાં આવેલા નિર્ણયો સામે ઘણીવાર કંપનીઓ લાચાર બને છે. નિષ્ણાતો માને છે કે, ટૂંકા ગાળા માટે ભારતમાં વિદેશી નિર્ણયો સીધા લાગુ ન થઈ શકે તે માટે કાયદા ઘડવાની જરૂર છે. જ્યારે લાંબાગાળે દેશે પોતાના સોફ્ટવેર અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા જોઈએ, જેથી ધીમે ધીમે નિર્ભરતા ઓછી થઈ શકે. વિશ્વભરના ઘણા દેશોએ આ દિશામાં પગલાં લીધાં છે. ભારત માટે હવે આ વિકલ્પ નથી પણ જરૂરિયાત છે. ડિજિટલ યુગમાં, પ્રશ્ન ફક્ત ટેકનોલોજીનો નથી, પરંતુ નિયંત્રણનો છે. અને જ્યારે નિયંત્રણ બહાર હોય છે, ત્યારે જોખમોની ચર્ચા અને શરૂઆત પણ ત્યાં જ નક્કી થાય છે.

અંબુજા સિમેન્ટ્સે નાલાગઢમાં નલાગ્રામમાં શાળાના સર્વાંગી પરિવર્તનમાં સહયોગ કર્યો તંત્રી નોંધ

વિશ્વમાં 9માં ક્રમની સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ્સ સોલ્યુશન પ્રોવાઇડર અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો હિસ્સો અંબુજા સિમેન્ટ્સે તેની સીએસઆર પહેલના ભાગરૂપે સોલન જિલ્લામાં નાલાગઢમાં ગવર્નમેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ (જીએસએસએસ) અને ગવર્નમેન્ટ પ્રાઇમરી સ્કૂલ (જીપીએસ) નવાગ્રામમાં શૈક્ષણિક માળખા અને વિદ્યાર્થીઓના વિકાસને બળ આપ્યું છે. નવાગ્રામમાં 1,399 લોકોની સંખ્યા છે, જ્યાં અગાઉ માળખાકીય અસુવિધા, પાણીની અચત અને ટ્રાન્સપોર્ટની મર્યાદિત સુવિધા તથા ઉચ્ચ અભ્યાસમાં નીચી પ્રગતી જેવી સમસ્યાઓ હતી. જીએસએસએસ (213 વિદ્યાર્થીઓ) અને જીપીએસ (60 વિદ્યાર્થીઓ)ને વધુ સારી સુવિધા અને વિદ્યાર્થીઓ માટે સુઆયોજિત જોડાણની આવશ્યકતા હતી. અંબુજા સિમેન્ટ્સે ધોરણ 12 સુધી વધુ સારા વર્ગખંડોના નિર્માણ (આર્ટ્સ પ્રવાહ), રમત-ગમત માટેના મેદાનના વિકાસ, સોક પિટ, બાઉન્ડ્રીની દિવાલો, પ્રવેશદ્વાર, હેન્ડવોશ સ્ટેશન, પાણીની સુવિધા સાથે શૌચાલય, વોટર કૂલર, અદ્યતન સાયન્સ લેબ, બીએએલએ આર્ટવર્ક અને સ્કૂલ માટે સોલર લાઇટિંગ વિકસિત કરવામાં સહયોગ કર્યો. અભ્યાસમાં સુધારા માટે સ્ટેમ સેશન, વાચનને પ્રોત્સાહન આપતાં કાર્યક્રમો, વોશ અને 5એસ જાગૃકતા, સેફ્ટી વર્કશોપ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિત સામેલ હતી. એક જીપીએસ વિદ્યાર્થી નવોદવ વિદ્યાલય માટે સફળતાપૂર્વક ક્વોલિફાઇ થયો છે, જે શૈક્ષણિક સુવિધાઓમાં સુધારાને દર્શાવે છે. આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ (એએસપી) અને આઝાદ યુથ સ્પોર્ટ્સ ક્લબને સપોર્ટ કરાયો હતો. 40 વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કબડ્ડી કોચિંગ અપાયું હતું, જેનાથી તેમણે પંચાયત, ઝોનલ, ડિસ્ટ્રિક્ટ અને રાજ્ય-સ્તરની ટુર્નામેન્ટ્સમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ પહેલથી શિસ્ત, ફિટનેસમાં સુધારો થયો હતો તેમજ નુકશાનકારત આદતોથી યુવાનોને દૂર કરવામાં મદદ મળી હતી. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, માતા-પિતા અને શિક્ષકોની સક્રિય ભાગીદારીથી બંન્ને શાળાઓમાં હાજરી, પ્રેરણા, સ્વચ્છતા અને એકંદર શિક્ષણ વાતાવરણમાં સુધારો જોવા મળ્યો છે, જે ગ્રામીણ શિક્ષણ વિકાસ માટે એક ટકાઉ મોડેલ બનાવે છે.

આજે હનુમાન જયંતી! હનુમાન ચરિત્રનું સૌથી મહાન કાર્ય, સીતા રુપી શાંતિ ની શોધ

પવન તનય બલ પવન સમાના, બુધિ બિબેક બિગ્યાન નિધાના, કવન સો કાજ કઠિન જગ માહીં, જો નહીં હોઈ તાત તુમ્હ પાહીં. તુલસીદાસજી એ રામચરિત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img