Thursday, June 25, 2026
HomeIndia' યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે...'

‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા એક મોટું નિવેદન આપ્યું હતું. 

નેધરલેન્ડ્સના હેગ શહેરમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. આ શહેર આખી દુનિયામાં ‘સિટી ઓફ પીસ’ તરીકે ઓળખાય છે. હાલમાં 5 દેશોના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, અહીં વસતા ભારતીયોનો અદ્ભુત પ્રેમ જોઈને હું થોડીવાર માટે ભૂલી જ ગયો કે હું વિદેશમાં છું. તેમણે લોકોને કહ્યું કે, સમય ભલે બદલાયો હોય પરંતુ ભારતની સંસ્કૃતિ આજે પણ દરેકના દિલમાં વસેલી છે. સમય ભલે બદલાયો, પણ લોકોની અંદર રહેલા ભારતીય સંસ્કાર અને આપણું પોતાનું લોહી ક્યારેય બદલાયા નથી.તેમણે કહ્યું કે આ દાયકો દુનિયા માટે આપત્તિઓનો દાયકો બની રહ્યો છે અને જો હજુ પણ સ્થિતિ નહીં સુધરે તો તે આવનારા દાયકાઓ સુધી ભારે પડશે. આ સાથે જ તેમણે 16 મેના દિવસને અત્યંત વિશેષ ગણાવ્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે, આજથી બરાબર 12 વર્ષ પહેલાં 2014માં આજના જ દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા, જેણે દેશની દિશા બદલી નાખી હતી. આ પ્રસંગે તેમણે નેધરલેન્ડ્સની જનતાને ભારતના 140 કરોડ લોકો વતી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.પીએમ મોદીએ ગર્વભેર જણાવ્યું કે આજનું ભારત બહુ મોટા સપના જોઈ રહ્યું છે. ભારતે ચંદ્ર પર પણ એવા સ્થાને પહોંચીને ઇતિહાસ રચ્યો છે, જ્યાં દુનિયાનો કોઈ દેશ પહેલા પહોંચી શક્યો નથી. આજે ભારત ટેક્નોલોજી અને બિઝનેસના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યું છે. ભારતમાં હાલ 20 મિલિયનથી પણ વધારે UPI ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે અને દેશમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. ભારતના બદલાતા અર્થતંત્ર અને યુવાધન વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આજનો યુવા માત્ર નોકરીઓ શોધવાને બદલે પોતે ડ્રોન બનાવવા માંગે છે અને ઇનોવેશન તરફ આગળ વધી રહ્યો છે.બંને દેશો વચ્ચેના સમાન સંબંધો અને ભાગીદારી પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ જણાવ્યું કે, જેમ નેધરલેન્ડ્સ તેના સુંદર ટ્યુલિપના ફૂલો માટે પ્રખ્યાત છે, તેમ ભારત કમળ માટે જાણીતું છે. તેમણે ઉમેર્યું કે ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેનું તાલમેલ આગામી સમય માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. પોતાના સંબોધનના અંતે તેમણે ભારતમાં ચાલી રહેલી લોકશાહીની પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તાજેતરમાં ભારતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે, જે ભારતીય લોકશાહીની મજબૂતી દર્શાવે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here