Monday, September 14, 2026
HomeIndia' યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે...'

‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા એક મોટું નિવેદન આપ્યું હતું. 

નેધરલેન્ડ્સના હેગ શહેરમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. આ શહેર આખી દુનિયામાં ‘સિટી ઓફ પીસ’ તરીકે ઓળખાય છે. હાલમાં 5 દેશોના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, અહીં વસતા ભારતીયોનો અદ્ભુત પ્રેમ જોઈને હું થોડીવાર માટે ભૂલી જ ગયો કે હું વિદેશમાં છું. તેમણે લોકોને કહ્યું કે, સમય ભલે બદલાયો હોય પરંતુ ભારતની સંસ્કૃતિ આજે પણ દરેકના દિલમાં વસેલી છે. સમય ભલે બદલાયો, પણ લોકોની અંદર રહેલા ભારતીય સંસ્કાર અને આપણું પોતાનું લોહી ક્યારેય બદલાયા નથી.તેમણે કહ્યું કે આ દાયકો દુનિયા માટે આપત્તિઓનો દાયકો બની રહ્યો છે અને જો હજુ પણ સ્થિતિ નહીં સુધરે તો તે આવનારા દાયકાઓ સુધી ભારે પડશે. આ સાથે જ તેમણે 16 મેના દિવસને અત્યંત વિશેષ ગણાવ્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે, આજથી બરાબર 12 વર્ષ પહેલાં 2014માં આજના જ દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા, જેણે દેશની દિશા બદલી નાખી હતી. આ પ્રસંગે તેમણે નેધરલેન્ડ્સની જનતાને ભારતના 140 કરોડ લોકો વતી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.પીએમ મોદીએ ગર્વભેર જણાવ્યું કે આજનું ભારત બહુ મોટા સપના જોઈ રહ્યું છે. ભારતે ચંદ્ર પર પણ એવા સ્થાને પહોંચીને ઇતિહાસ રચ્યો છે, જ્યાં દુનિયાનો કોઈ દેશ પહેલા પહોંચી શક્યો નથી. આજે ભારત ટેક્નોલોજી અને બિઝનેસના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યું છે. ભારતમાં હાલ 20 મિલિયનથી પણ વધારે UPI ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે અને દેશમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. ભારતના બદલાતા અર્થતંત્ર અને યુવાધન વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આજનો યુવા માત્ર નોકરીઓ શોધવાને બદલે પોતે ડ્રોન બનાવવા માંગે છે અને ઇનોવેશન તરફ આગળ વધી રહ્યો છે.બંને દેશો વચ્ચેના સમાન સંબંધો અને ભાગીદારી પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ જણાવ્યું કે, જેમ નેધરલેન્ડ્સ તેના સુંદર ટ્યુલિપના ફૂલો માટે પ્રખ્યાત છે, તેમ ભારત કમળ માટે જાણીતું છે. તેમણે ઉમેર્યું કે ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેનું તાલમેલ આગામી સમય માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. પોતાના સંબોધનના અંતે તેમણે ભારતમાં ચાલી રહેલી લોકશાહીની પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તાજેતરમાં ભારતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે, જે ભારતીય લોકશાહીની મજબૂતી દર્શાવે છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here