Thursday, July 16, 2026
HomeGujaratજામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

કોંગ્રેસે આ વોર્ડ માટે 3 નામોની પેનલ જાહેર કરી છે, પરંતુ તેમાં પૂર્વ કોર્પોરેટર અને હાલ જેલમાં બંધ અલ્તાફ ખફીનું નામ ન હોવાથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

મનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા બહાર પટણી જમાતના હોદ્દેદારોના ફોટા સાથે ‘કોંગ્રેસનો બહિષ્કાર’ કરતા બેનરો લાગતા રાજકીય ગરમાવો આવી ગયો છે.વોર્ડ નંબર-12માં વર્ષ 2021માં કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી, પરંતુ આંતરિક વિખવાદ અને ગેરશિસ્તના કારણે સમીકરણો બદલાયા છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા અસલમ ખીલજી અને ફેબીદાબેન જુણેજા તેમજ રાજીનામું આપનાર જૈનબબેન ખફી ‘આપ’ માં જોડાતા જંગ ત્રિપાંખિયો બન્યો છે. હવે પટણી જમાત દ્વારા ખુલ્લેઆમ કોંગ્રેસના વિરોધનું એલાન કરવામાં આવતા કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.અલ્તાફ ખફી જેલમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ કોર્ટે જામીન ફગાવી દેતા અને પક્ષે નામ જાહેર ન કરતા તેમની બાદબાકી થઈ હોવાનું મનાય છે.અસલમ ખીલજી ગેંગ સામે હત્યાના પ્રયાસ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ અને આર્મ્સ એક્ટ હેઠળ 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વિસ્તારમાં મારામારી અને ફાયરિંગની ઘટનાઓ બાદ ‘ગુજસીટોક’ જેવા ગંભીર ગુનાઓ દાખલ થતા સામાન્ય નાગરિક કે શિક્ષિત ઉમેદવાર ચૂંટણી લડતા ડરી રહ્યો છે. તો ભાજપને આ વોર્ડમાં ઉમેદવારો શોધવા ફાંફા પડી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ખીલજી અને ખફી પરિવારના જોરે મેદાન મારવા કમર કસી છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here