Friday, June 26, 2026
HomeSpecialબીલીપાનનું મહત્ત્વ: સૌપ્રથમ દેવી પાર્વતીએ શિવ પર બીલીપાન ચઢાવ્યું હતું ,આના વગર...

બીલીપાનનું મહત્ત્વ: સૌપ્રથમ દેવી પાર્વતીએ શિવ પર બીલીપાન ચઢાવ્યું હતું ,આના વગર પૂજા અધૂરી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ભગવાન શિવની પૂજામાં બીલીપાનનું વિશેષ મહત્ત્વ છે. આનો ઉલ્લેખ ઘણા ગ્રંથમાં કર્યો છે. શિવમહાપુરાણમાં બીલીપાનનું ખાસ મહત્ત્વ જણાવ્યું છે. બીલીપાન વગર શિવપૂજા અધૂરી છે. શિવની પૂજા માટે બહુ બધી વસ્તુઓ ના હોય અને માત્ર બીલીપાન હોય તો પણ પૂજાનું ફળ મળે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, જ્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિં રૂપે પામવા તપસ્યા અને પૂજા કરી ત્યારે તેમણે સૌથી પહેલાં ભગવાન શિવને બીલીપાન ચઢાવ્યા હતા.

ભગવાન શંકર અને દેવી પાર્વતીને બીલીપાન ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે. મહાદેવ પર બીલીપાન ચઢાવવાથી તેઓ ખુશ થઇ જાય છે આથી તેમને આશુતોષ કહેવાય છે. બીલીપાનનું વૃક્ષ ખૂબ જ પવિત્ર હોય છે. બીલીપાનનું ઝાડ સંપન્નતાનું પ્રતીક અને સમૃદ્ધિ આપનારું છે.બીલીપાન ક્યારેય ચોથ, આઠમ, નોમ, દસમ, ચૌદશ, અમાસ, પૂનમ, સોમવાર અને બપોર પછી ના તોડવા જોઈએ. આનાથી ભગવાન શિવ નારાજ થઇ જાય છે. આથી આ તિથિ પર બીલીપાન ના તોડવા જોઈએ. રવિવારે બીલીપાન તોડીને રાખી લો અને સોમવારે શિવલિંગ પર ચઢાવો.બીલીપાન સ્નાનથી પાપ મુક્તિ ​​​​​​​પાણીમાં બીલીપાન નાખીને સ્નાન કરવું જોઈએ. આ શિવમય જળથી શારીરિક શુદ્ધિ થાય છે અને અજાણ્યામાં થયેલા પાપનો નાશ થાય છે. ધર્મગ્રંથ અને આયુર્વેદના જાણકારનું કહેવું છે કે, બીલીપાનથી નાહવાથી બીમારી નજીક આવતી નથી અને આયુષ્ય વધે છે.જ્યારે સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું ત્યારે શિવજીએ કંઠમાં ધારણ કર્યું. એ પછી દરેક દેવી-દેવતાએ શિવજીને બીલીપાન ખવડાવવાના શરૂ કરી દીધા. કારણકે બીલીપાન વિષની અસર ઓછી કરે છે. બીલીપાન અને જળના પ્રભાવથી ભોલેનાથના શરીરમાં ઉત્પન્ન થયેલી ગરમી શાંત થવા લાગી અને શિવજી પર જળ અને બીલીપાન ચઢાવવાની પ્રથા ચાલુ થઇ.

બીલીપાન ચઢાવતી વખતે આ મંત્ર બોલો

“त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिधायुतम्।त्रिजन्मपापसंहारं बिल्वपत्रं शिवार्पणम्॥”

અર્થ: ત્રણ ગુણ, ત્રણ નેત્ર, ત્રિશૂળ ધારણ કરનારા અને ત્રણ જન્મના પાપ સંહારનારા છો. હે શિવજી, હું તમને બીલીપાન અર્પણ કરું છું.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here