Tuesday, September 15, 2026
HomeSpecialબીલીપાનનું મહત્ત્વ: સૌપ્રથમ દેવી પાર્વતીએ શિવ પર બીલીપાન ચઢાવ્યું હતું ,આના વગર...

બીલીપાનનું મહત્ત્વ: સૌપ્રથમ દેવી પાર્વતીએ શિવ પર બીલીપાન ચઢાવ્યું હતું ,આના વગર પૂજા અધૂરી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ભગવાન શિવની પૂજામાં બીલીપાનનું વિશેષ મહત્ત્વ છે. આનો ઉલ્લેખ ઘણા ગ્રંથમાં કર્યો છે. શિવમહાપુરાણમાં બીલીપાનનું ખાસ મહત્ત્વ જણાવ્યું છે. બીલીપાન વગર શિવપૂજા અધૂરી છે. શિવની પૂજા માટે બહુ બધી વસ્તુઓ ના હોય અને માત્ર બીલીપાન હોય તો પણ પૂજાનું ફળ મળે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, જ્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિં રૂપે પામવા તપસ્યા અને પૂજા કરી ત્યારે તેમણે સૌથી પહેલાં ભગવાન શિવને બીલીપાન ચઢાવ્યા હતા.

ભગવાન શંકર અને દેવી પાર્વતીને બીલીપાન ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે. મહાદેવ પર બીલીપાન ચઢાવવાથી તેઓ ખુશ થઇ જાય છે આથી તેમને આશુતોષ કહેવાય છે. બીલીપાનનું વૃક્ષ ખૂબ જ પવિત્ર હોય છે. બીલીપાનનું ઝાડ સંપન્નતાનું પ્રતીક અને સમૃદ્ધિ આપનારું છે.બીલીપાન ક્યારેય ચોથ, આઠમ, નોમ, દસમ, ચૌદશ, અમાસ, પૂનમ, સોમવાર અને બપોર પછી ના તોડવા જોઈએ. આનાથી ભગવાન શિવ નારાજ થઇ જાય છે. આથી આ તિથિ પર બીલીપાન ના તોડવા જોઈએ. રવિવારે બીલીપાન તોડીને રાખી લો અને સોમવારે શિવલિંગ પર ચઢાવો.બીલીપાન સ્નાનથી પાપ મુક્તિ ​​​​​​​પાણીમાં બીલીપાન નાખીને સ્નાન કરવું જોઈએ. આ શિવમય જળથી શારીરિક શુદ્ધિ થાય છે અને અજાણ્યામાં થયેલા પાપનો નાશ થાય છે. ધર્મગ્રંથ અને આયુર્વેદના જાણકારનું કહેવું છે કે, બીલીપાનથી નાહવાથી બીમારી નજીક આવતી નથી અને આયુષ્ય વધે છે.જ્યારે સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું ત્યારે શિવજીએ કંઠમાં ધારણ કર્યું. એ પછી દરેક દેવી-દેવતાએ શિવજીને બીલીપાન ખવડાવવાના શરૂ કરી દીધા. કારણકે બીલીપાન વિષની અસર ઓછી કરે છે. બીલીપાન અને જળના પ્રભાવથી ભોલેનાથના શરીરમાં ઉત્પન્ન થયેલી ગરમી શાંત થવા લાગી અને શિવજી પર જળ અને બીલીપાન ચઢાવવાની પ્રથા ચાલુ થઇ.

બીલીપાન ચઢાવતી વખતે આ મંત્ર બોલો

“त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिधायुतम्।त्रिजन्मपापसंहारं बिल्वपत्रं शिवार्पणम्॥”

અર્થ: ત્રણ ગુણ, ત્રણ નેત્ર, ત્રિશૂળ ધારણ કરનારા અને ત્રણ જન્મના પાપ સંહારનારા છો. હે શિવજી, હું તમને બીલીપાન અર્પણ કરું છું.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here