ગુજરાત બજેટ: આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડ, શિક્ષણ માટે 34,883 કરોડની જોગવાઈ

0
30
બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે,20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ
બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે,20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ

ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારું બજેટ રહેશે. બજેટ પૂર્ણ થયા પહેલાં જો કોઈ મીડિયા માહિતી આપશે તો ઔચિત્યભંગનો ગુનો ગણાશે. પહેલીવાર નાણાં વિભાગે આ પ્રકારનો આદેશ કર્યો છે. આ બજેટમાં બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

મોટી જાહેરાતો

  • 80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250 અને 60થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શન
  • જસદણ, લીંબાયત, પાલીતાણા, બગસરામાં નવી કોલેજો શરૂ કરાશે.
  • 4 હજાર ગામોને ફ્રી વાઇફાઈની સુવિધા અપાશે.
  • સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બિલિમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઉભી કરાશે.
  • મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે
  • પીએચડી કરતા વિદ્યાર્થીઓને રૂ.1 લાખની સહાય

કયા ક્ષેત્ર માટે કેટલી જોગવાઈ

  • સમગ્ર દેશમાં કોરોનામાં 177 કરોડથી વધુ રસી નિઃશુલ્ક આપી છે. પડકારો અમને હંફાવી ન શક્યા અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે અમે અમૃતકાળની વાત પકડી છે.
  • માથાદીઠ આવક 20 વર્ષમાં 19,823 થી વધીને 2,14,809 થઈ છે. ગૌ સંવર્ધન માટે ખાનગી સંસ્થા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. જેના માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે.
  • સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત. જેના માટે 10 હજાર કરોડની ફાળવણી.
  • કચ્છમાં મોટા ચેકડેમ બનાવવા 65 કરોડ
  • બનાસકાંઠામાં સિંચાઈનો લાભ આપવા 70 કરોડ
  • ધરોઈ બંધ પરિક્ષેત્રને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા 200 કરોડ
  • અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના ગામોને સિંચાઈ માટે 25 કરોડ
  • કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડની જોગવાઈ
  • રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે
  • જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડની જોગવાઈ
  • આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડની જોગવાઈ
  • સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે રૂ.500 કરોડ
  • મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ
  • મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ
  • ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડ
  • ખેડૂતોને રવિપાક માટે વ્યાજ સહાય યોજના
  • સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના જાહેર, રૂ.4000 કરોડની જોગવાઈ
  • ધાત્રી માતાને 1000 દિવસ સુધી અપાશે રાશન. 1 કિલો તુવેરદાળ, લીટર તેલ, 2 કિલો ચણા અપાશે
  • ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડની જોગવાઈ
  • ગૃહવિભાગમાં વિવિધ સંવર્ગની 1094 જગ્યા ઉભી કરાશે
  • સુરત અને ગિફ્ટ સીટીમાં નવા પોલીસ મથક બનશે
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ
  • સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.4782 કરોડ
  • કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિભાગ માટે રૂ.2909 કરોડની જોગવાઈ
  • પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.9048 કરોડ
  • શહેરી વિકાસ વિભાગ માટે રૂ.14297 કરોડ
  • ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જોગવાઈ
  • પ્રવાસન વિભાગ માટે રૂ.465 કરોડની જોગવાઈ
  • વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ

ખેડૂતો માટે વ્યાજ સહાય માટે નવી યોજના
ખેડૂતોને રવિ અને ઉનાળુ પાક માટે વ્યાજ સહાય આપવા નવી યોજનાની જાહેરાત

મહિલા અને બાળ કલ્યાણ
કૂપોષણના નિવારણ માટે સગર્ભા અને ધાત્રી માતાઓને 1000 દિવસ સુધી વિનામૂલ્યે દર મહિને એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક કિલો ખાદ્ય તેલ આપશે. જેના માટે રૂ.4000 કરોડની ફાળવણી કરી છે.

બીજી હરોળમાંથી નાણામંત્રી બજેટ રજૂ કર્યું
પટેલ સરકારના અંતિમ બજેટને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ વખત 1 વાગે રજૂ કર્યું છે. વિધાનસભા ગૃહની બેઠક વ્યવસ્થામાં નાણામંત્રી કનુભાઈ બીજી હરોળમાંથી બજેટ રજૂ કર્યું છે. જ્યારે પ્રથમ હરોળમાં મુખ્યમંત્રી સાથે રાજેન્દ્ર ત્રિવેદી, જિતુ વઘાણી અને ઋષિકેશ પટેલ છે.