Thursday, June 25, 2026
HomeIndiaCMની ખુરશી એક, દાવેદાર અનેક: ચૂંટણી પરિણામ પહેલા જ મહાયુતિ અને MVAમાં...

CMની ખુરશી એક, દાવેદાર અનેક: ચૂંટણી પરિણામ પહેલા જ મહાયુતિ અને MVAમાં અંદરોઅંદર મતભેદ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો પહેલા જ જ્યારે મહા વિકાસ આઘાડી (MVA) અને મહાયુતિએ પોતપોતાની જીતનો દાવો કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે સીએમ પદને લઈને બંને ગઠબંધન વચ્ચે આંતરિક સંઘર્ષ પણ શરૂ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં 288 સભ્યોની વિધાનસભા માટે બુધવારે મતદાન થયા પછી હવે આવતી કાલે મતગણતરી થશે. પરંતુ મતદાન પછી તરત જ, રાજ્ય કોંગ્રેસના વડા નાના પટોલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં તેમની પાર્ટીના નેતૃત્વમાં એમવીએ સરકાર બનાવવામાં આવશે. આ અંગે નાના પટોલેએ કહ્યું કે, ‘વોટિંગ ટ્રેન્ડ દર્શાવે છે કે નવી વિધાનસભામાં કોંગ્રેસને સૌથી વધુ સીટો મળશે.’ નાના પટોલેનું આ નિવેદન સાથી પક્ષ શિવસેના (યુબીટી)ને પસંદ ન આવ્યુ. યુબીટીના નેતા સંજય સંજય રાઉતે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘MVA બહુમતી જીત્યા પછી તમામ ગઠબંધન સહયોગી દ્વારા સંયુક્ત રીતે મુખ્ય પ્રધાનમંત્રીનો ચહેરો નક્કી કરવામાં આવશે.’રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આ મામલે વધુમાં કહ્યું હતું કે, ‘જો કોંગ્રેસ હાઈકમાન્ડે પટોલેને કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદનો ચહેરો હશે, તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેના ટોચના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેની જાહેરાત કરવી જોઈએ.’એમવીએ, જેમાં કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) અને મહાયુતિ, જેમાં ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ થાય છે, એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની ગઠબંધન ચૂંટણી શનિવારની મતગણતરી પછી આગામી સરકાર બનાવશે. જો કે મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિ સત્તા જાળવી રાખશે તેવી આગાહી કરી છે, તો કેટલાકએ MVAને ટેકો આપ્યો છે.મહાયુતિ વતી શિવસેનાના વિધાનસભ્ય અને પક્ષના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે, ‘વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી એકનાથ શિંદેના ચહેરા તરીકે લડવામાં આવી હતી. મતદારોએ મતદાન દ્વારા શિંદે માટે તેમની પસંદગી દર્શાવી છે. તો મને લાગે છે કે આગામી મુખ્યમંત્રી બનવું તે શિંદેનો અધિકાર છે અને અમને વિશ્વાસ છે કે તેઓ આગામી મુખ્યમંત્રી બનશે.’ભાજપના નેતા પ્રવીણ દરેકરે ટોચના પદ માટે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તરફેણમાં વાત કરતા કહ્યું કે, ‘મને લાગે છે કે જો બીજેપીમાંથી કોઈ સીએમ બનશે તો તે દેવેન્દ્ર ફડણવીસ હશે.’ NCP નેતા અમોલ મિતકારીએ આ પ્રતિષ્ઠિત પદ માટે તેમના પક્ષના વડા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નામ આગળ કરતા કહ્યું, ‘પરિણામો ગમે તે હોય, એનસીપી કિંગમેકર હશે.’ મુખ્યમંત્રી પદના ચહેરા વિશે પૂછવામાં આવતા, ફડણવીસે કહ્યું કે, ‘ત્રણેય મહાયુતિ પક્ષો સાથે બેસીને સારા નિર્ણય લેશે.’

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here