‘કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે, ત્રણથી ચાર દિવસ કર્ફ્યૂ અંગે નિર્ણય લો’ : ગુજરાત હાઇકોર્ટ

0
33
કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે
કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ભયજનક રીતે વધારો થતા ફરીથી લૉકડાઉન થાય તેવી શક્યતાઓ સર્જાઇ છે. હાઇકોર્ટે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાની જરૂરિયાત છે. કોરોનાના સંક્રમણની ચેઇન તોડવાની જરૂર છે. ગુજરાતમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ કર્યો છે. કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. લૉકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.કોરોનાનો કહેર વધતા ગુજરાત રાજ્યના આઠ મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં 500-500 બેડના આઠ કોવિડ સેન્ટર ચાલુ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. આ આઠ વિસ્તારમાં આઈએએસ અને આઈએફએસ અધિકારીને તબીબી કામગીરી પર સુપરવિઝન રાખવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે ઓક્સિજનનું ઉત્પાદન કરતાં ગુજરાતના તમામ એકમોને આરોગ્ય સેવા માટે તેમના કુલ ઉત્પાદનમાંથી 60 ટકા ઓક્સિજન અનામત-રિઝર્વ રાખવાની સૂચના આપી દીધી છે.