Dandi Yatra: સાબરમતી આશ્રમ પહોંચ્યા PM મોદી થોડીવારમાં કરશે સંબોધન

0
23
પીએમ મોદીએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને નમન કર્યા.
પીએમ મોદીએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને નમન કર્યા.

અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ ની આજથી શરૂઆત થવાની છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડીયાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે છે.. આ પ્રસંગે પીએમ મોદી 91મી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવીને શરૂઆત કરાવશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહેવાના છે. સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. ગાંધી આશ્રમના કાર્યક્રમ બાદ પીએમ મોદી સહિતના મહાનુભાવો દાંડીયાત્રામાં જોડાવાના છે.  પ્રદર્શન નીહાળ્યા બાદ પીએમ મોદી અભય ઘાટ ડોમ પર સ્ટેજ પર પહોંચ્યા છે.પીએમ મોદીએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને નમન કર્યા.  પીએમ મોદી એરપોર્ટથી સાબરમતી આશ્રમ જવા માટે રવાના થયા.  પીએમ મોદીનું 10.10 વાગ્યાની આસપાસ અમદાવાદના એરપોર્ટ પર આગમન થયું.  દેશના વિવિધ ભાગોમાંથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પદયાત્રીઓ ગાંધી આશ્રમ પાસે અભય ઘાટ પહોંચી રહ્યા છે. પીએમ મોદી સાબરમતી આશ્રમ ખાતેથી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવશે.