
ગુરુજનો અને પૂર્વ વિધાર્થીઓનો મિલન સમારોહબ,પુસ્તક વિમોચન નાટક કવિ સંમેલન નાં કાર્યક્રમો યોજાશે
રાજપીપલા, તા 11
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અનેગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળા પ્રેરિત
શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ભૂતપૂર્વ વિધાર્થી બી.પી.ઈ. ની પ્રથમ, દ્વિતિય, તૃતીય અને ચોથી બેચ દ્વારા આયોજિત અને સંચાલિત તથા ટ્રસ્ટના ઉપક્રમે સ્વતંત્ર સંગ્રામમાં હજારોની સંખ્યામાં યુવાનોને જોડનાર, શારીરિક શિક્ષણને જીવનનું અંગ બનાવનાર અને તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે, આ સૂત્રને જીવનભર વરેલા અને શિક્ષણક્ષેત્રે રાજ્યભરમાં વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત કરીને ગુજરાતમાં શારીરિક શિક્ષણના પિતામહનું બિરૂદ મળ્યુ હતું તેવા ઈચ્છાબાની કૂખે ૧૩ જુલાઈ ૧૯૮૫માં ડાકોરમાં જન્મેલા. આપણા મહાનાયક
શ્રી છોટુભાઈ પુરાણીની ૧૪૧મી જન્મજયંતિ ભવ્ય ઉજવણી 13 જુલાઈએ રાજપીપલા અને એકતાનગર ખાતે ઉજવાશે
જેમાં માલ્યા અર્પણ સવારે ૭.૦૦ કલાકે શ્રી છોટુભાઈ કેમ્પસ, રાજપીપળા ખાતે ઉપરાંત જી.એસ.સી. બેંક, સહકાર ભવન, કેવડીયા કોલોનીખાતે ગુરુજનો અને પૂર્વ વિધાર્થીઓનો મિલન સમારોહ. સવારે ૯.૦૦ કલાકે, ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાન
(પુસ્તક વિમોચન) સવારે ૧૧.૦૦ કલાકે., નાટક જીવનગાથા છોટુભાઈ પુરાણીની. સવારે ૧૧.૧૦ કલાકથી ૧૩.૦૦ કલાકે અને કવિ સંમેલન પૂર્વ સંધ્યાએ સાંજે ૪.૩૦ કલાકે યોજાશે જેમાં જાણીતા ગુજરાતનાં જાણીતા કવિઓ
નવગણસિંહ વાઘેલા, મંગળભાઈ રાવળ (સ્નેહાતુર),દીપકભાઈ જગતાપ,અમૃતભાઈ બારોટ ભાગ લેશે
ઉદ્ઘાટન કાર્યક્રમમાં જયરામભાઈ ગામીત, રમતગમત યુવા અને સાંસ્કૃતિક મંત્રી મુખ્ય મહેમાન પદે
શ્રીમતી દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય,નાંદોદ,મનસુખભાઈ વસાવા,સાંસદ, ભરૂચ ઉપરાંત
ટ્રસ્ટીઓ, કોલેજ પરિવાર,ભૂત પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે
સમગ્ર કાર્યક્રમના કોઓર્ડિનેટર વિરેન્દ્ર પટેલે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું છે કે વ્યાયામવીર અને ક્રાંતિવીર યુવાઓતા પ્રણેતા અને ગુરૂજીતી ૧૪૧મી જન્મજયંતિ નિમિત્તે “જીવનગાથા છોટુભાઈ પુરાણીની”નામનું ધ્યાન વિઝન આર્ટ્સનું પ્રોડક્શનનું નાટક જેના મૂળ લેખક પ્રવિણકાંત શાહ અને નાટ્ય આલેખન દિગ્દર્શન ડૉ.યોગેશકુમાર ભટ્ટનાં નાટકની પ્રસ્તુતિ પણ થશે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા
