ગુજરાતની વધુ નજીક પહોંચ્યું તાઉ-તે, માત્ર ૨૫૦ કિમી દૂર, ઓરેન્જ એલર્ટ જાહેર

0
25
જેની ગતિની તીવ્રતા આગામી ૨૪ કલાકમાં વધવાની સંભાવના છે. વાવાઝોડુ પોરબંદર અને ભાવનગર તરફ પ્રોજેક્ટ થયેલું જણાય છે. જે આજે તા. ૧૭ મેના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના છે.
જેની ગતિની તીવ્રતા આગામી ૨૪ કલાકમાં વધવાની સંભાવના છે. વાવાઝોડુ પોરબંદર અને ભાવનગર તરફ પ્રોજેક્ટ થયેલું જણાય છે. જે આજે તા. ૧૭ મેના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના છે.

સંભવિત તાઉ-તે વાવાઝોડું ગુજરાતના વેરાવળ બંદરથી ૨૫૦ કિલોમીટર દૂર છે. સોમવારે ગુજરાતના કાંઠે આશરે પવનની ઝડપ ૧૫૦ થી ૧૬૦ કિલોમીટર રહેવાની સંભાવના છે. જેના કારણે કાંઠાળ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અત્યારે તાઉતે વાવાઝોડું ૨૫૦ કિમી દૂર છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે.

અમદાવાદ : આજે તા. ૧૭ મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે, તા. ૧૭ અને ૧૮મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં ૭૦ થી ૧૭૫ કિ.મી. સુધીનો પવન રહે એવી સંભાવના છેદક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ મળી કુલ ૧૭ જિલ્લાઓમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ માટે ૨૦ NDRFની ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે, ૪ ટીમો દક્ષિણ ગુજરાતમાં અને ૧૫ વધારાની ટીમો હવાઈ માર્ગે મંગાવાઈ છે. એટલુ જ નહીં પાંચ NDRFની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે એટલે કે કુલ ૪૫ NDRFની ટીમો રેસ્કયુ કામગીરી માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ૬ SDRFની ટીમો પણ ડિપ્લોય કરી દેવાઈ છેતેમણે કહ્યું કે, માછીમારોને આગામી ૫ દિવસ માટે દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે અને મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને દરિયામાં રહેલ માછીમારોની બોટોને પરત બોલાવવા જરૂરી સૂચનાઓ આપી છે. અત્યાર સુધીમાં ૧૯૭૭ બોટો પરત આવી ગઈ છે. મીઠાના અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છેતાઉતે વાવાઝોડાની અસરને પગલે નવસારી શહેર સહીત જીલ્લાના ઘણા વીસ્તારોમાં વરસાદ થયો છે. સુરતમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. તાપી જલ્લાના વ્યારા – ડોલવણ તાલુકાઓમાં વાતાવરણમાં પલટો સાથે હળવો વરસાદ જોવા મળ્યો હતો. વલસાડ જીલ્લાના ઉમરગામે એનડીઆરએફન એક ટીમ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાની અસરના પગલે ધરમપુરમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો.ભરૂચ જીલ્લાના ૩૦ ગામો એલર્ટ કરાયા છે. દહેજ બંદરે બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યુ છે. અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. દહેજમાં પાંચ ઔદ્યોગીક વસાહતોને એલર્ટ કરાયા છે. પાટણમાં એક હજારથી વધુ પરીવારો રણમાં રહે છે તેમાંથી ૯૦ ટકા જેટલા પરીવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મોડાસામાં વાતાવરણ પલટાતા વરસાદી ઝાપટા થયા છે.વાવાઝોડાને કારણે સુરત જીલ્લાના ૪૦ ગામોને એલર્ટ કરાયા છે. દરીયાકિનારે ઓલા ઝીંગાના તળાવોમાં રહેતા ૮૦૦ મજુરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જીલ્લા વહીવટી તંત્રે દરિયાકાંઠા નજીકના લોકોને સલામત સ્થળે ખસી જવાસુચના આપી છે. વાવાઝોડાના પગલે મુન્દ્રા વહીવટતંત્ર સજજ થયું છે. દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારો અને અગરીયાઓનું સ્થળાંતર કરવામાં આવી રહયું છે.વાવાઝોડાને પગલે અમરેલીના રાજુલા-જાફરાબાદ તાલુકાના છ હજાર લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. રાજપીપળામાં આજે રવિવારે સાડા ચાર વાગે પવનના સુસવાટા સાથે ધુળની ડમરીઓ ઉડી છે. અચાનક ગાજવીજ સાથે વરસાદ તુટી પડયો હતો