
નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત મજબૂત ધિરાણ ની માંગ જોઈ રહ્યા છીએ. અમે જવાબદાર, સુલભ અને ટકાઉ નાણાકીય ઉકેલો પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છીએ, જે ઉદ્યોગસાહસિકો અને નાના વ્યવસાયોને આત્મવિશ્વાસ સાથે વિકાસ કરવા અને ભારતના આર્થિક વિકાસમાં સાર્થક યોગદાન આપવા માટે સશક્ત બનાવે છે.
ભારતીય રિઝર્વે બેંક (આરબીઆઈ) દ્વારા રેપો રેટ 5.25% પર જાળવી રાખવાનો નિર્ણય આર્થિક વિકાસને ટેકો આપવા અને સાથે જ ઊભરી રહેલા ફુગાવા ના દબાણ પ્રત્યે સતર્ક રહેવા પ્રત્યેના સંતુલિત અને વિવેકપૂર્ણ અભિગમને દર્શાવે છે. પોતાના તટસ્થ વિચાર (ન્યુટ્રલ) નીતિગત વલણને જાળવી રાખીને, મોનેટરી પોલિસી કમિટી (એમપસી) એ સંકેત આપ્યો છે કે તે આગળ કોઈ નીતિગત પગલું ભરતા પહેલાં સ્થાનીક અને વૈશ્વિક ઘટનાક્રમ પર નજીકથી નજર રાખવાનું પસંદ કરશે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 (FY27) માટે પોતાના સીપીઆઈ ફુગાવાના અંદાજને વધારીને 5.1% કર્યો છે અને જીડીપી વૃદ્ધિ અંદાજને ઘટાડી ને 6.6% કર્યો છે, જેમાં ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, પુરવઠા શૃંખલામા વિક્ષેપ, રૂપિયા માં વધઘટ, અને હવામાન સબંધિત અનિશ્ચિતતા જેમાં સામાન્ય કરતાં ઓછા ચોમાસા અને અલ-નીનો સ્થતિનું જોખમ સામેલ છે.
આ પ્રતિકૂળ પરસ્થિતિઓ છતાં, ભારતની સ્થાનિક માંગ મજબૂત રહી છે. ટિયર 2, ટિયર 3 અને ગ્રમીણ બજારોમા કાર્યરત વ્યવસાયો માટે, નીતિગત સ્થિરતા તે વિશ્વાસ પૂરો પાડે છે જે અનિશ્ચિત આર્થિક વાતાવરણમાં રોકાણનું આયોજન કરવા, કામગીરીનો વિસ્તાર કરવા અને વિકાસની તકને આગળ વધારવા માટે જરૂરી છે.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) સતત વધતા ઈનપુટ ખર્ચ, સતત ફુગાવાના દબાણ, મોસમી વ્યાવસાયિક વધઘટ અને કાર્યકારી મૂડીની મર્યાદાઓ સામે ઝઝૂમી રહ્યા છે, જેના કારણે ધિરાણ સુધીની પહોંચ પહેલાં કરતાં વધુ ગંભીર બની ગઈ છે. આરબીઆઈ ના ડેટા આધરિત અને સંતુલીત અભિગમે વ્યવસાયોને અત્યંત જરરી નિશ્ચિતતા પૂરી પાડે છે જે વિકાસ જાળવવા અને મજબૂતી નિર્માણ પર કેન્દ્રિત છે. એક સ્થિર વ્યાજ દરનું વાતાવરણ અમારા ડીએફઆઈ (વિકાસ નાણાકીય સંસ) ઉધાર પર કાર્યક્ષમ ભંડોળ અને અનુકૂળ હેજિંગ ખર્ચને પણ ટેકો આપે છે, જેના કારણે અમે સ્પર્ધાત્મક ભાવે ઉપલબ્ધ મૂડીના લાભ તે ઉદ્યોગસહસિકો અને નાના વ્યવસાયો સુધી પહોંચાડી શકીએ છીએ જેમની અમે સેવા કરીએ છીએ.
