ગુજરાત સાથે મારો જૂનો સંબંધ, અહીં મને વિશેષ ઉર્જા મળે છે : વિધાનસભામાં રાષ્ટ્રપતિ કોવિંદ

0
6
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનુ વિધાનસભામાં સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાતીઓનો દેશપ્રેમ વિશ્વવિખ્યાત છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનુ વિધાનસભામાં સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાતીઓનો દેશપ્રેમ વિશ્વવિખ્યાત છે

ગાંધીનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં હાજરી આપી છે તથા ગૃહના સભ્યોને સંબોધન કરી રહ્યા છે. ગૃહના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું હતુ. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ગુજરાત વિધાનસભામાં આ સંબોધન ત્યારે યોજાયું છે જ્યારે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે.રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ગુજરાત વિધાનસભામાં આ સંબોધન ત્યારે યોજાયું છે જ્યારે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. આઝાદી અને તેના અમૃત મહોત્સવના સંદર્ભના સંબોધનમાં ગુજરાત સિવાય કોઇ ઉપયુક્ત સ્થળ નથી. સ્વતંત્ર ભારતની કલ્પના કરવાના લોકોમાં ગુજરાતના લોકો અગ્રીમ હતા.તેમણે મહાત્મા ગાંધીને યાદ કરતા જણાવ્યુ કે, બાપુની ધરતી પર આવવાના અનેક અવસર પ્રાપ્ત થયાં છે. સ્વતંત્ર ભારતની કલ્પના કરનાર લોકોમાં ગુજરાતી મહત્વના છે. મહાત્મા ગાંધીએ સંપૂર્ણ વિશ્વને નવીન વિચારને મહત્વ આપ્યું છે.રાષ્ટ્રપતિએ નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવ વજન તો તેને કહીએને યાદ કર્યું હતું. આ સાથે પાલીતાણા, ગીર, વડનગર સહિત અનેક મંદિરોએ એકતાના ઉદાહરણ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે, વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતનું યોગદાન છે. વિક્રમ સારાભાઈ અને હોમી ભાભા જેવા વૈજ્ઞાનિકો ગુજરાતે આપ્યાં છે.