Thursday, June 25, 2026
HomeNew Delhi'નીતિશ કુમાર માફી માગે નહીંતર...' : પાકિસ્તાનના કુખ્યાત ડોન શહેજાદ ભટ્ટી

‘નીતિશ કુમાર માફી માગે નહીંતર…’ : પાકિસ્તાનના કુખ્યાત ડોન શહેજાદ ભટ્ટી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં હવે એક પાકિસ્તાની ડોન પણ વચ્ચે કૂદી પડ્યો છે. પાકિસ્તાનના કુખ્યાત ડોન શહેજાદ ભટ્ટીએ પોતાનો એક વીડિયો શેર કરીને ધમકી આપી કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર માફી માંગે નહીંતર એવું ન કહેતાં કે ચેતવણી આપી ન હતી. પાકિસ્તાની ડોન શહેજાદ ભટ્ટીએ પોતાનો એક વીડિયો શેર કરતાં કહ્યું કે, તમામ લોકોએ જોયું હશે કે, બિહારમાં શું થયું. એક મોટા પદ પર બેઠેલા વ્યક્તિ એક મુસ્લિમ મહિલા સાથે અયોગ્ય વ્યવહાર કરે છે. પછી મારા પર આરોપ લગાવવામાં આવશે કે, શહેજાદ ભટ્ટીએ આવું કરી દીધું. આ વ્યક્તિ પાસે હજું પણ સમય છે કે, તે મહિલાની માફી માંગે. જો આજે માફી ન માંગે તો જવાબદાર સંસ્થાઓને આ વિશે કાર્યવાહી કરવી જોઈએ. પછી એવું ન કહેતા કે ચેતવણી નહતી આપી.અમુક મીડિયા અહેવાલો અનુસાર, શહેજાદ ભટ્ટી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે. શહેજાદ ભટ્ટી વિશે જણાવવામાં આવે છે કે, તે ભારત સામે આતંકી ગતિવિધિઓ ફેલાવવામાં પણ સામેલ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તે ખુદને ઇસ્લામ અને પાકિસ્તાનનો સિપાહી કહે છે. નોંધનીય છે કે, હિજાબ વિવાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે જોડાયેલો છે. સોમવારે મુખ્યમંત્રી સચિવાલયમાં ‘સંવાદ’ કાર્યક્રમ હેઠળ એક હજારથી વધુ આયુષ ચિકિત્સકોને નિયુક્તિ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિયુક્તિ પત્ર આપતાં નુસરત પરવીનનો વારો આવ્યો, જે ચહેરા પર હિજાબ પહેરીને આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, આ શું છે? અને પછી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો. 

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here