Monday, September 14, 2026
HomeGujaratઓન્કોવિને નિકોલમાં નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, પુખ્ત વયના તેમજ બાળકો માટે કેન્સરની...

ઓન્કોવિને નિકોલમાં નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, પુખ્ત વયના તેમજ બાળકો માટે કેન્સરની કેરની સુલભતા વધારી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

કેન્સર સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપનમાં ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક ઓન્કોવિન કેન્સર સેન્ટરે રવિવારે નિકોલમાં તેના નવા સેન્ટરના ઉદ્ઘાટન સાથે એક મુખ્ય સીમાચિહ્નરૂપ સિદ્ધિ મેળવી. આ વિસ્તરણ ઓન્કોવિનના અમદાવાદમાં વિશ્વ કક્ષાની કેન્સર સારવાર સુલભ બનાવવાના મિશનનો એક ભાગ છે, જ્યાં તે પહેલાથી જ પાલડી અને નવા વાડજમાં સેન્ટર્સ નું સંચાલન કરે છે. નિકોલ ખાતેનું નવું સેન્ટર નોંધપાત્ર રીતે મોટી જગ્યા, અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને અદ્યતન તબીબી ટેકનોલોજી ધરાવે છે. આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ ઓન્કોવિન જુનિયર્સનું લોન્ચિંગ હતું, જે પેડિયાટ્રિક હેમેટોલોજી અને ઓન્કોલોજી માટે સમર્પિત એક વિશિષ્ટ યુનિટ છે. અમદાવાદમાં આ અનોખી સુવિધા રક્ત વિકૃતિઓ અને કેન્સર સામે ઝઝૂમી રહેલા બાળકોની વિશેષ
સારવાર અને સર્વાંગી સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉદ્ઘાટન સમારોહ માં લિટલ હીરો, કેન્સર યોદ્ધાઓ, પ્રતિષ્ઠિત હસ્તીઓ એવા શ્રી ગોરધનભાઈ ઝડફિયા (ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય ભાજપ), શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ (એમ. એલ. એ. દસક્રોઈ), શ્રી પ્રેરકભાઈ શાહ (પ્રમુખ કર્ણાવતી મહાનગર ભાજપ), શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર (અધ્યક્ષ – ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ), શ્રી પરેશભાઈ લાખાણી (જનરલ સેક્રેટરી કર્ણાવતી મહાનગર ભાજપ) અને અન્ય મહાનુભાવો, અગ્રણી તબીબી વ્યાવસાયિકો, સામાન્ય જનતા અને સમર્પિત ઓન્કોવિન ટીમ હાજર રહી હતી. આ પ્રસંગે બોલતા, ઓન્કોવિન કેન્સર સેન્ટરના સહ-સ્થાપક અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. ઈતેશ ખટવાણીએ જણાવ્યું હતું કે, “ઓન્કોવિન કેન્સર સેન્ટરમાં, અમારું લક્ષ્ય ફક્ત રોગોની સારવાર કરવાનું જ નથી, પરંતુ શક્ય તેટલો તમામ સહયોગ આપવાનું પણ છે. આ નવી સુવિધા સાથે, અમે અમદાવાદના દરેક દર્દીને ઉચ્ચ-ગુણવત્તાવાળી કેન્સર સારવાર સુલભ થાય તે સુનિશ્ચિત કરવાના અમારા મિશન તરફ એક ડગલું નજીક છીએ.” ઓન્કોવિન કેન્સર સેન્ટર તેના વ્યાપક અને દર્દી-કેન્દ્રિત અભિગમ માટે જાણીતું છે. આ સેન્ટર સેવાઓની સંપૂર્ણ શ્રેણી પ્રદાન કરે છે, જેમાં કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, પેડિયાટ્રિક હેમેટોલોજી અને ઓન્કોલોજી, ઇન્ટ્રાથેકલ કીમોથેરાપી, બોન મેરો પ્રક્રિયાઓ અને પેલેએટિવ કેર નો સમાવેશ થાય છે. તે કેન્સર સ્ક્રિનિંગ, જિનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ, પ્રિવેન્ટિવ ઓન્કોલોજી, ડે કેર અને ઇનપેશન્ટ સારવાર, ઓન્કોપેથોલોજી, ન્યુટ્રિશનલ સપોર્ટ, પેઇન મેનેજમેન્ટ અને વેક્સિનેશન સેવાઓ પણ પૂરી પાડે છે. નિકોલ સેન્ટરના લોન્ચ અને ઓન્કોવિન જુનિયર્સના ઉમેરા સાથે, ઓન્કોવિન કેન્સર સેન્ટર સસ્તું, સુલભ અને વિશ્વ-સ્તરીય કેન્સર સંભાળ પૂરી પાડવામાં અગ્રેસર રહ્યું છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here