Friday, June 5, 2026
HomeIndia'એક દિવસ ખુરશી જવાની જ છે...', નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા...

‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઇડામાં આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની ભેટ આપ્યાના બીજા જ દિવસે એક કાર્યક્રમમાં જૂની યાદો તાજી કરી હતી. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં નોઇડા શહેરને મુખ્યમંત્રીઓ માટે ‘અપશુકનિયાળ’ માનવામાં આવતું હતું. એવી માન્યતા હતી કે જે પણ મુખ્યમંત્રી નોઇડા જાય છે, તેમની ખુરશી જતી રહે છે. આ અંધશ્રદ્ધાને કારણે ભૂતકાળમાં ઘણા મુખ્યમંત્રીઓએ પોતાના આખા કાર્યકાળ દરમિયાન નોઇડા જવાની હિંમત પણ કરી નહોતી. જોકે, યોગી આદિત્યનાથે આ માન્યતાને ફગાવી દેતા કહ્યું હતું કે, જ્યારે મને ત્યાં જવાથી રોકવામાં આવ્યો, ત્યારે મેં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો ખુરશી એક દિવસ જવાની જ હોય, તો તેના મોહમાં કેમ પડવું?’ તેઓ નોઇડા ગયા એટલું જ નહીં, પણ પોતાનો પહેલો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કરી ફરીથી રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા.મુખ્યમંત્રીએ નોઇડાની મુલાકાત દરમિયાન સામે આવેલા ગંભીર પ્રશ્નોની ચર્ચા કરતા જણાવ્યું કે, ત્યાં બિલ્ડરો અને ઘર ખરીદનારાઓ(બાયર્સ) વચ્ચે લગભગ 4 લાખ જેટલા વિવાદિત કેસો વર્ષોથી અટવાયેલા હતા. અનેક લોકોએ પોતાની આખી જિંદગીની કમાણી બિલ્ડરોને આપી દીધી હતી, પરંતુ વર્ષો વીતવા છતાં તેમને ઘર મળ્યું નહોતું. જે-તે સમયે નોઇડા અને ગ્રેટર નોઇડા ઓથોરિટી પણ હજારો કરોડના દેવા નીચે દબાયેલી હતી. યોગી આદિત્યનાથે આ બાબતને ગંભીરતાથી લઈને નવી વ્યૂહનીતિ બનાવી અને વહીવટીતંત્રમાં સુધારા કર્યા. તેમણે ભ્રષ્ટ તત્ત્વોને બહાર કાઢ્યા અને બિલ્ડરોને કડક સૂચના આપી કે ગમે તે થાય, લોકોના ઘર મળવા જોઈએ.આ આક્રમક સુધારા અને યોગ્ય આયોજનનું પરિણામ એ આવ્યું કે આજે ઉત્તર પ્રદેશ સરકાર 4 લાખ લોકોને તેમના હકનું ઘર અપાવી ચૂકી છે. જે ઓથોરિટી પહેલા દેવામાં ડૂબેલી હતી, તે આજે 6 હજાર કરોડના નફામાં છે. મુખ્યમંત્રીએ ગર્વ સાથે જણાવ્યું કે આજે નોઇડામાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૌથી વધુ રોકાણ આવી રહ્યું છે. આ દરમિયાન તેમણે અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા કહ્યું કે, જે લોકો અગાઉ અંધશ્રદ્ધાને કારણે નોઇડા આવતા ડરતા હતા અને વિકાસના કામોમાં અડચણો ઊભી કરતા હતા, તેઓ આજે કયા મોઢે વિકાસની વાતો કરી રહ્યા છે! યોગી આદિત્યનાથે સ્પષ્ટ કર્યું કે તેઓ આસ્થામાં ચોક્કસ માને છે, પરંતુ અંધશ્રદ્ધામાં તેમને જરાય વિશ્વાસ નથી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here