Tuesday, July 21, 2026
HomeIndiaભારતમાં 71 ટકા લોકો પોતાના સૌથી પ્રિય ક્ષણો લિવિંગ રૂમમાં વિતાવે છે

ભારતમાં 71 ટકા લોકો પોતાના સૌથી પ્રિય ક્ષણો લિવિંગ રૂમમાં વિતાવે છે

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ ઇન્ટિરિયો બાય ગોદરેજે આજે ‘મોમેન્ટ્સ ધેટ મેટર’(એમટીએમ) નામનો અભ્યાસ રજૂ કર્યો છે, જે આધુનિક ભારતીય ગ્રાહકો માટે ઘર અને કામના સ્થળે રોજિંદા અનુભવ કેવી રીતે ભાવનાત્મક સુખાકારી, જોડાણ અને આરામને પ્રભાવિત કરે છે તે અંગે ઊંડાણપૂર્વક સમજ આપે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે ઊંઘ, રસોઈ અને શાંતિપૂર્ણ વ્યક્તિગત સમય જેવી રોજિંદી પ્રવૃત્તિઓ આજે ભારતીયો પોતાના રહેણાંક સ્થળો સાથે કેવી રીતે જોડાય છે તેમાં કેન્દ્રસ્થાને છે.‘મોમેન્ટ્સ ધેટ મેટર’(એમટીએમ) અભ્યાસ દર્શાવે છે કે અમદાવાદના રહેવાસીઓ સંબંધોને સંભાળવા અને મજબૂત બનાવવા માટે પોતાના ઘરની જગ્યાનો કેવી રીતે ઉપયોગ કરે છે.

53 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું કે બેડરૂમ મુખ્ય “કૂલિંગઓફ” ઝોન તરીકે કામ કરે છે, જે પ્રાઇવેટ સ્પેસ પૂરી પાડે છે, ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદ કરે છે અને સંબંધોને ટકાવી રાખવામાં સહાયરૂપ બને છે. ઉપરાંત,95 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે ડિનરનો સમય પરિવાર સાથે જોડાણ માટેની સૌથી આનંદદાયક ક્ષણ છે, જે દર્શાવે છે કે ઘર વિરામની ક્ષણો અને સાથે 
મળીને સમય પસાર કરવાની બંને જરૂરિયાતોને સમર્થન આપે છે. વધુમાં,87 ટકાથી વધુ ઉત્તરદાતાઓ સાંજના સમયે પોતાના પ્રિયજનો સાથે દિવસના અનુભવો શેર કરવાનું મહત્વપૂર્ણ માને છે, જે બતાવે છે કે રોજિંદા જીવનમાં ઘર વિચારમંથન અને જોડાણ બંનેને પ્રોત્સાહન આપે છે.

અભ્યાસના તારણો અંગે પ્રતિભાવ આપતાં ઇન્ટિરિયો બાય ગોદરેજના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ ઓફ કન્ઝ્યુમર બિઝનેસ (બીટુસી) ડો. દેવ નારાયણ સરકારે જણાવ્યું હતું કે, “મોમેન્ટ્સ ધેટ મેટર અભ્યાસ માત્ર સંશોધનથી વધારે છે. તે ભારતીય ગ્રાહકો ઘર અને કામના સ્થળે ડિઝાઇનના ભવિષ્યને કેવી રીતે જોવે છે તે અંગે એક મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ આપે છે. ઝડપથી બદલાતા વિશ્વમાં ઘર અને કામના સ્થળો હવે માત્ર ભૌતિક જગ્યાઓ નથી, પરંતુ સુખાકારી, જોડાણ અને વ્યક્તિગત અભિવ્યક્તિના આશ્રયસ્થાન બની ગયા છે. આ અભ્યાસ ઇન્ટિરિયો દ્વારા ભારતીયો અને તેમના રહેણાંક સ્થળો વચ્ચે વિકસતા સંબંધને સમજવાની અમારી પ્રતિબદ્ધતાને ફરી મજબૂત બનાવે છે. અમારું વિઝન એ છે કે ભારતીયો તેમના રોજિંદા વાતાવરણનો અનુભવ કેવી રીતે કરે છે તેમાં પરિવર્તન લાવવું અને એવા ફર્નિચરનું નિર્માણ કરવું જે આધુનિક ભારતીય ગ્રાહકો માટે ખરેખર મહત્વપૂર્ણ ક્ષણોને વધુ સમૃદ્ધ બનાવે.”

અભ્યાસના તારણો દર્શાવે છે કે ભારતીય ઘરોને હવે આધુનિક જીવનના દબાણ વચ્ચે સંતુલન અને જોડાણ પાછું અપાવતાં ભાવનાત્મક આધાર તરીકે વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. બેડરૂમ ઘરના ભાવનાત્મક કેન્દ્ર તરીકે સામે આવ્યો છે, જેમાં 90 ટકા ઉત્તરદાતાઓએ તેને આરામ, તાજગી અને વિશ્રામ સાથે જોડ્યો હતો. 54 ટકા ઉત્તરદાતાઓએ પોતાના ઘરની સૌથી પ્રિય ક્ષણોને પોતાના બેડમાં સુવા જવાની સાથે જોડી હતી, જે ઊંઘ, ઓળખાણ અને ભાવનાત્મક સુરક્ષા વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવે છે.

રસોડું હવે માત્ર ઉપયોગી જગ્યા ન રહી, પરંતુ ભાવનાત્મક જગ્યા તરીકે વિકસ્યું છે. 97 ટકા ઉત્તરદાતાઓએ એકલા અથવા પરિવાર સાથે રસોઈના કામને ધ્યાન કેન્દ્રિત રાખવાની ભાવના અને સંબંધ મજબૂત બનાવતી પ્રવૃત્તિ તરીકે ગણાવ્યું હતું. લિવિંગ રૂમ અને ડાઇનિંગ રૂમ હજુ પણ ઘરના સામાજિક કેન્દ્ર તરીકે મહત્વ ધરાવે છે, જ્યાં ભોજનનો સમય દિવસની સૌથી આનંદદાયક રીત છે અને વાતચીત તથા હાસ્ય દ્વારા પરિવારોને એકસાથે લાવે છે.

અભ્યાસમાં આગળ જાણવા મળ્યું હતું કે બાલ્કની શહેરોમાં શાંતિના આશ્રયસ્થાન તરીકે ઉભરી આવી છે. ચાર પૈકી ત્રણ ઉત્તરદાતાઓએ તેને શહેરી જીવનના ગડબડ વચ્ચે શાંતિ અને નવી દ્રષ્ટિ આપતી જગ્યા તરીકે વર્ણવી હતી. 53 ટકા લોકોએ જણાવ્યું હતું કે બાલ્કનીમાં વહેલી સવારની ક્ષણો તેમને દિવસની શરૂઆત સ્થિર અને સંતુલિત રીતે કરવામાં મદદ કરે છે.

કામના સ્થળ અંગેનો અભ્યાસ દર્શાવે છે કે અનૌપચારિક જોડાણો જેમ કે હળવી વાતચીત, કેફે બ્રેક અને સાથે મળીને કરવામાં આવતું લંચ સહકાર અને જોડાણ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારી રીતે ડિઝાઇન કરેલી જગ્યાઓ અને પ્રથમ દિવસે સ્વાગતપૂર્ણ વ્યવસ્થા પણ કર્મચારીઓમાં આરામ, પ્રેરણા અને વિશ્વાસ ઊભો કરવા માટે જરૂરી ગણાઈ હતી.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here