Wednesday, August 26, 2026
Homenationalએનઆઈએના દરોડા બાદ પીએફઆઈ ઉગ્ર બન્યું, કેરલમાં તોડફોડ બાદ બંધનું એલાન, ભાજપની...

એનઆઈએના દરોડા બાદ પીએફઆઈ ઉગ્ર બન્યું, કેરલમાં તોડફોડ બાદ બંધનું એલાન, ભાજપની ઓફિસ તોડી નાખી

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

કેરલ: પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા (PFI)એ NIAની આગેવાનીમાં ગુરુવારે કેટલીય એજન્સીઓ તરફથી તેમની ઓફિસો, નેતાઓના ઘરો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા, જેના વિરોધમાં 23 સપ્ટેમ્બરે હડતાળનું આહ્લાન કર્યું છે. પીએફઆઈએ શુક્રવારે કેરલ બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન કેરલના તિરુવનંતપુરમમાં એક કાર અને ઓટો રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી. તો વળી તમિલનાડૂના કોયંબટૂરમાં સભ્યોની ધરપકડ બાદ પીએફઆઈએ હિંસક પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન બીજેપીની ઓફિસ પર પણ હુમલો કર્યો હતો.બીજેપી કાર્યકર્તાઓનો આરોપ છે કે, તેમના કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા. આ સમગ્ર ઘટના બાદ ભાજપ ઓફિસ બહાર પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. એનઆઈએ અને ઈડી તરફથી કરવામાં આવેલા આ દરોડા પીએફઆઈ તરફથી દેશમાં આતંકી ગતિવિધિઓને કથિત રીતે સમર્થન કરવા મામલે પાડ્યા છે. એનઆઈએ તથા અન્ય એજન્સીઓએ ગુરુવારે 15 રાજ્યોમાં 93 જગ્યા પર એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પીએફઆઈના 106 નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. કેરલમાં પીએફઆઈના સૌથી વધારે 22 કાર્યકર્તાઓને દબોચી લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા લોકોમાં તેના અધ્યક્ષ ઓએમએ સલામ પણ સામેલ છે. તો વળી ભાજપ કેરલ કમિટિએ પીએફઆઈની કેરલમાં પ્રસ્તાવિત હડતાલને બિનજરુરી ગણાવી અને રાજ્ય સરકાર પાસેથી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.પીએફઆઈ તરફથી શુક્રવારે બોલાવામાં આવેલા બંધને જોતા કેરલ પોલીસે રાજ્યમાં સુરક્ષા કડક કરી દીધી છે. જિલ્લા પોલીસ પ્રમુખે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવાના નિર્દેશ જાહેર કર્યા છે. પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, કાયદો તોડનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારી બસ સેવા કેએસઆરટીસીએ કહ્યું કે, તે બસનું સંચાલન ચાલુ રાખશે. પરિવહન નિગમે કહ્યું કે, જરુર પડશે તો હોસ્પિટલ, એરપોર્ટ તથા રેલ્વે સ્ટેશનો સુધી પહોંચવા માટે વિશેષ સેવા સંચાલિત કરવામાં આવશે. પરિવહન નિગમે કહ્યું કે, જો જરુરી લાગશે તો, પોલીસ સુરક્ષાની માગ પણ કરી છે.પીએફઆઈએ અહીં એક નિવેદનમાં કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીના વિરોધમાં કેરલમાં શુક્રવારે સવારથી સાંજ સુધી અહીં હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવાયુ છે કે, તેમની રાજ્ય સમિતિએ અનુભવ્યું છે કે, સંગઠનના નેતાઓની ધરપકડથી પ્રાયોજીત આતંકવાદનો ભાગ હતો. પીએફઆઈના પ્રદેશ મહાસચિવ તથા અબ્દુલ સત્તારે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિયંત્રણવાળી ફાસીવાદ સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને અસહમતીનો અવાજ દબાવાનો પ્રયાસ વિરુદ્ધ રાજ્યમાં 23 સપ્ટેમ્બરે હડતાળ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ,સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી હડતાળ ચાલુ રહેશે.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here