Positive Thinking: માતા-પિતા પોતાના સંતાનને ભવિષ્ય માટે ઘણું આપીને જાય છે, જે દેખાઈ શકતું નથી

0
143

વિશ્વનાથ બાબૂ સમાજ સેવાના કામમાં ખૂબ જ ખર્ચ કરતા હતાં. અનેકવાર તો તેમની પાસે પોતાની માટે રૂપિયા હતાં નહીં, પરંતુ જરૂરિયાતમંદ લોકો માટે તેઓ કોઈને કોઈ વ્યવસ્થા કરતાં હતાં.

થોડા સમય માટે તેઓ રાયપુર આવી ગયાં હતાં, તેમની સાથે તેમના પુત્ર નરેન્દ્ર પણ હતાં. નરેન્દ્ર જ્યારે મોટા થયા ત્યારે તેઓ સ્વામી વિવેકાનંદના નામથી પ્રસિદ્ધ થયાં. લગભગ બે વર્ષ સુધી નરેન્દ્ર પોતાના પિતા સાથે રહ્યાં.

નરેન્દ્ર પોતાના પિતાના સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત હતાં. પિતા કેટલાં દયાળું છે, તે જોઈને નરેન્દ્રને ખૂબ જ ગમતું હતું. નરેન્દ્ર જોતાં હતાં કે પિતા જેટલું કમાય છે, તેટલું ખર્ચ પણ કરે છે, કંઇપણ બચત કરતા નહીં. અન્ય લોકોની મદદ કરવો તેમનો સ્વભાવ હતો.

થોડા લોકો વિશ્વનાથ બાબૂની આલોચના પણ કરતાં હતાં. યુવા નરેન્દ્ર ખૂબ જ વધારે પરિપક્વ હતાં નહીં. પિતાજીના કામ જોઈને તેઓ વિચારતાં હતાં કે શું આ યોગ્ય છે? કોઈએ એકવાર તેમને આ અંગે સમજાવ્યું ત્યારે તેમણે પોતાના પિતાને પૂછ્યું, તમે કેટલું ખર્ચ કરો છો, શું તમે ક્યારેય અમારા માટે કશું બચાવશો? અમારા ભવિષ્ય માટે શું છોડશો?

વિશ્વનાથ બાબૂ ઇચ્છતા તો તીખો જવાબ આપી શકતાં હતાં, પરંતુ તેમણે શાંતિથી કામ લીધું. તેમણે કહ્યું, નરેન્દ્ર સવાલ તો તમે ખૂબ જ સરસ પૂછ્યો છે, સામે દીવાલ ઉપર એક અરીસો છે, ત્યાં જઈને પોતાનો ચહેરો જુઓ. ધ્યાનથી જોશો તો સમજી જશો, હું તમને શું આપી રહ્યો છું. તમને જાણ થઈ શકશે કે મેં ભવિષ્ય માટે તમે શું આપ્યું છે.

નરેન્દ્ર પિતાની વાત સમજી ગયાં, તે પછી તેમણે ક્યારેય પિતાને ફરિયાદ કરી નહીં. આ ઘટના વિવેકાનંદજી અનેકવાર સંભળાવી હતી.

બોધપાઠ– માતા-પિતા પોતાના બાળકને ઘણું એવું આપી જતાં હતાં જે દર્શાવતાં નથી, પરંતુ જ્યારે મુશ્કેલ સમય આવે છે તો માતા-પિતા દ્વારા જ આપવામાં આવેલી શિક્ષા જ કામ આવે છે.