Tuesday, July 21, 2026
HomeIndiaશ્રીહાસ તાંબેની બાયોકોન લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંક, 1 એપ્રિલ,...

શ્રીહાસ તાંબેની બાયોકોન લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંક, 1 એપ્રિલ, 2026થી અમલી

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

બાયોકોન લિમિટેડે (BSE: 532523; NSE: BIOCON) આજે ​​શ્રીહાસ તાંબેની 1 એપ્રિલ, 2026થી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંકની જાહેરાત કરી છે, આ માટે નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટી તેમજ ડિરેક્ટર બોર્ડની મંજૂરી મેળવવામાં આવી છે. ઇન્ટિગ્રેટેડ બાયોકોનના પ્રથમ CEO તરીકે, તેઓ બાયોસિમિલર્સ અને જેનેરિક્સને આવરી લેતા સંયુક્ત પ્લેટફોર્મનું નેતૃત્વ કરશે, જે કંપનીની વૈશ્વિક બજારોમાં સ્કેલ પર કામ કરવાની અને અસરકારક રીતે સ્પર્ધા કરવાની ક્ષમતાને મજબૂત બનાવશે.

આ ઉપરાંત કેદાર ઉપાધ્યાયને બાયોકોન લિમિટેડના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ નેતૃત્વ પરિવર્તન બાયોકોન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડના સંપૂર્ણ એકીકરણનો એક ભાગ છે, જે એક સરળ અને એકીકૃત કોર્પોરેટ માળખાનું નિર્માણ કરે છે. આ મજબૂત એન્ટરપ્રાઇઝ GLP-1 થેરાપી સહિત બાયોસિમિલર્સ, ઇન્સ્યુલિન, જટિલ જેનેરિક્સ અને પેપ્ટાઇડ્સના વિભિન્ન પોર્ટફોલિયો દ્વારા ડાયાબિટીસ, ઓબેસિટી, ઓન્કોલોજી અને ઇમ્યુનોલોજીમાં આગેવાની લેવા માટે સારી સ્થિતિમાં છે.

બાયોકોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર-શોએ જણાવ્યું હતું કે, “બાયોકોન દર્દીઓની જરૂરિયાતોનો અંદાજ લગાવીને અને પડકારોથી આગળ વધીને સતત વૃદ્ધિ પામી રહી છે. અમારા જેનેરિક્સ અને બાયોસિમિલર્સ વ્યવસાયોના એકીકરણ સાથે, અમે એક વિશિષ્ટ સ્થાન ધરાવતી, વૈશ્વિક સ્તરે ઉંચાઈ હાંસલ કરતી બાયોફાર્મા એન્ટરપ્રાઇઝ બનાવી રહ્યા છીએ. શ્રીહાસ આ પરિવર્તનમાં મોખરે રહ્યા છે, તેમણે વિયાટ્રિસ બાયોસિમિલર્સ વ્યવસાયના સંપાદન અને એકીકરણ તેમજ અમારી વૈશ્વિક હાજરીના વિસ્તરણ સહિત અનેક વ્યૂહાત્મક સીમાચિહ્નોનું નેતૃત્વ કર્યું છે. તેમના નેતૃત્વ હેઠળ, બાયોકોન બાયોલોજિક્સ 5.5 બિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે વિશ્વની ટોચની પાંચ બાયોસિમિલર કંપનીઓમાંથી એક તરીકે ઉભરી આવી છે. સંયુક્ત વ્યવસાયનું નેતૃત્વ કરનારા પ્રથમ સીઈઓ તરીકે, શ્રીહાસ પરવડી શકે તેવી આરોગ્યસંભાળને આગળ વધારવા માટે ઊંડી વૈજ્ઞાનિક કુશળતા, વ્યૂહાત્મક કઠોરતા અને  અડગ પ્રતિબદ્ધતા ધરાવે છે. મને વિશ્વાસ છે કે તેઓ શિસ્તબદ્ધ અમલીકરણને આગળ ધપાવશે અને અમારી ઉંચાઈને ટકાઉ વૈશ્વિક નેતૃત્વમાં પરિવર્તિત કરશે.”

સિદ્ધાર્થ મિત્તલના યોગદાન વિશે બોલતા, શ્રીમતી મઝુમદાર-શોએ ઉમેર્યું હતું કે: “બાયોકોનમાં તેમના અસાધારણ યોગદાન બદલ હું સિદ્ધાર્થનો આભાર માનું છું. 2013માં જોડાયા પછી, તેમણે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને પછી સીઈઓ તેમજ મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિશિષ્ટ સેવા આપીને કંપનીના વિકાસના માર્ગને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હવે તેઓ બાયોકોન ગ્રુપમાં નેતૃત્વની બીજી ભૂમિકા અદા કરશે.”

બાયોકોન લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીહાસ તાંબેએ જણાવ્યું હતું કે, “આવા મહત્વપૂર્ણ સમયે બાયોકોનનું નેતૃત્વ કરવું મારા માટે સન્માન અને સૌભાગ્યની વાત છે, જ્યારે અમે અમારા બાયોલોજિક્સ અને જેનેરિક્સ વ્યવસાયોને એક અગ્રણી વૈશ્વિક દવા કંપની બનાવવા માટે એકસાથે લાવીએ છીએ. બાયોકોન એ જૂજ સંસ્થાઓમાંથી એક છે જેમણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો અસરકારક રીતે ઉપયોગ કરીને જીવનરક્ષક સારવાર સુધીની પહોંચમાં પરિવર્તન લાવ્યું છે. અમારી સફળતા અસાધારણ પ્રતિભા દ્વારા પ્રેરિત છે, હેતુની મજબૂત ભાવના અને દર્દીઓની જરૂરિયાતો પૂરી કરવા માટે અટલ પ્રતિબદ્ધતા દ્વારા એક થાય છે. અમે અમારા પોર્ટફોલિયો અને વૈશ્વિક હાજરીનું વિસ્તરણ કરી રહ્યા છીએ ત્યારે, મારું ધ્યાન અમારા પાયાને મજબૂત કરવા પર, અમારા વ્યવસાયને એકીકૃત કરવા પર અને ટકાઉ વિકાસને વેગ આપવા પર રહેશે. મારામાં ભરોસો અને વિશ્વાસ મૂકવા બદલ હું અમારા સ્વપ્નદ્રષ્ટા ચેરપર્સન કિરણ મઝુમદાર-શો અને ડિરેક્ટર બોર્ડનો ઉંડાણપૂર્વક આભારી છું અને વિશ્વભરના દર્દીઓ માટે અર્થપૂર્ણ ફરક લાવવા માટે બાયોકોનના મજબૂત વારસાના આધારે નિર્માણ કરવા માટે આતુર છું.”

શ્રીહાસ તાંબે વિશે

શ્રીહાસ તાંબે લગભગ ત્રણ દાયકા પહેલા મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે બાયોકોન સાથે જોડાયા હતા અને, એક બાદ એક નેતૃત્વની ભૂમિકાઓ દ્વારા, તેમણે વૈશ્વિક સ્તરે અનેક વ્યવસાયોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

બાયોકોન બાયોલોજિક્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, કંપની

2025માં 5.5 બિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે આવકની દ્રષ્ટિએ વિશ્વની ટોચની 5 બાયોસિમિલર કંપનીઓમાંથી એક બની છે. તેમણે વિયાટ્રિસના બાયોસિમિલર્સ વ્યવસાયના પરિવર્તનશીલ સંપાદનનું નેતૃત્વ કર્યું હતું અને તેના ઝડપી એકીકરણનું નિરીક્ષણ કર્યું, જેનાથી સંપૂર્ણ સંકલિત, લેબ્ટોપેશન્ટ, વૈશ્વિક બાયોલોજિક્સ એન્ટરપ્રાઇઝનું નિર્માણ થયું.

અગાઉ, શ્રીહાસે બાયોકોન બાયોલોજિક્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ત્યારબાદ ડેપ્યુટી સીઈઓ તરીકે સેવા આપીને સમગ્ર કંપનીની કામગીરી અને વૈશ્વિક વૃદ્ધિને વેગ આપ્યો છે. અગાઉ તેમણે બાયોકોનમાં મલેશિયામાં એશિયાની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ઇન્સ્યુલિન ફેસિલિટીની સ્થાપના સહિત ઇન્સ્યુલિન વ્યવસાયના વિશ્વવ્યાપી વિસ્તરણનું નેતૃત્વ કર્યું હતું. શ્રીહાસે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને 61 પેટન્ટના શોધક છે, જે નવીનતાને આગળ વધારવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

સંયુક્ત વ્યવસાયના પ્રથમ સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે, તેઓ બાયોકોનની વૈશ્વિક બાયોફાર્મા અગ્રણી તરીકેની સ્થિતિને મજબૂત કરવા માટે જવાબદાર રહેશે, જે બાયોસિમિલર્સ, ઇન્સ્યુલિન, જેનેરિક્સ અને પેપ્ટાઇડ્સ (GLP‑1s)ના વિભિન્ન પોર્ટફોલિયોને આગળ વધારીને વિશ્વની સૌથી વધુ તાત્કાલિક આરોગ્યસંભાળની જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યું છે.

શ્રીહાસે મુંબઈ યુનિવર્સિટીના ICT (UDCT)માંથી બાયોપ્રોસેસ ટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને ઈન્ડસ્ટ્રીમાં અનેક સન્માન હાંસલ કર્યા છે, જેમાં 2025નો ET એજ ઇન્ડિયાનો ઇમ્પેક્ટફુલ CEO એવોર્ડ, BW ફાર્મા વર્લ્ડ ફાર્મા લીડરશીપ એવોર્ડ તેમજ 2026નો ટાઇમ્સ નાઉનો મોસ્ટ પ્રોમિસિંગ બિઝનેસ લીડર્સ ઓફ એશિયા એવોર્ડનો સમાવેશ થાય છે.

તેમણે અગ્રણી વૈશ્વિક મંચો પર ભારતના બાયોફાર્માસ્યુટિકલ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) અને ફાર્મા મેડટેક સેક્ટરમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન (PRIP) જેવી પહેલો માટે નીતિ નિર્માતાઓ સાથે મળીને કામ કર્યું છે.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here