Monday, June 29, 2026
HomeGujarat“બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું

“બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

51 શક્તિપીઠોમાંનું એક ગણાતું અંબાજી ધામ આજે ભાદરવી પૂનમ મહામેળાના પ્રારંભ સાથે જાણે દિવ્ય આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

અંબાજી: અરવલ્લીના પર્વતીય વિસ્તારોમાં વસેલું યાત્રાધામ અંબાજી આજે શ્રદ્ધા અને ભક્તિના રંગોથી રંગાયું છે. 51 શક્તિપીઠોમાંનું એક ગણાતું અંબાજી ધામ આજે ભાદરવી પૂનમ મહામેળાના પ્રારંભ સાથે જાણે દિવ્ય આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. “બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદ સાથે સમગ્ર યાત્રાધામ શ્રદ્ધાભક્તિના ઉલ્લાસમાં ઝૂમી ઉઠ્યું છે.સાત દિવસ સુધી ચાલનારા આ મહામેળાનો પ્રારંભ આજે થયો છે અને તે આગામી 7 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ લાખો યાત્રાળુઓ પગપાળા અંબાજી પહોંચે છે. પદયાત્રાના સંકલ્પ સાથે હજારો ભક્તો પોતાના ગામથી યાત્રા શરૂ કરી મા અંબેના દર્શનાર્થે અંબાજી પહોંચ્યા છે.લાખો ભક્તોના આગમનનો અંદાજ વહીવટી તંત્રના અંદાજ પ્રમાણે, આ સાત દિવસીય મહામેળામાં 30 લાખથી વધુ યાત્રિકો અંબાજી ધામ પધારશે. ખાસ કરીને પૂનમના દિવસે અંબાજી ધામે શ્રદ્ધાળુઓની ભીડ તૂટે તેવી શક્યતા છે. યાત્રાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ સર્વગ્રાહી તૈયારીઓ કરી છે. ડિજિટલ માધ્યમ થકી પણ પદયાત્રાળુઓને સ્વાગત સંદેશા પાઠવીને તેમને સુવિધાજનક યાત્રાનો સંદેશ આપવામાં આવ્યો છે.દર્શન માટે વિશેષ વ્યવસ્થા આ વર્ષે યાત્રાળુઓને સુગમ દર્શન મળી રહે તે માટે મંદિર પરિસરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિશેષતાઓની વાત કરીએ તો, બસ સ્ટેન્ડથી મંદિર સુધી ખાસ રેલિંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. લાઇનમાં ઊભેલા યાત્રાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here