ત્રણ દિવસમાં નવુ શિક્ષણ સત્ર શરૂ થશે, પણ હજી સુધી વિદ્યાર્થીઓને નથી મળ્યા પુસ્તકો

0
14
સ્કુલો દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભૂલ ન થાય એ માટે શાળાઓને ફક્ત રેગ્યુલર વિદ્યાર્થીઓ તરીકે નોંધાયેલા વિદ્યાર્થીઓનુ જ પરિણામ શાળા તૈયાર કરીને મોકલે તે માટે ગુજરાત બોર્ડે તમામ ડીઈઓની ટીમ બનાવી સ્કોલોમાં રેકોર્ડ ચેક કરવા મોકલવાનો આદેશ કર્યો છે.વિદ્યાર્થીઓના માર્કિંગ માટે પહેલા 20 આંતરિક મૂલ્યાંકનના આધારે, જ્યારે બાકીના 80 માર્ક્સ ઓનલાઈન વેબસાઈટ પર મૂકવા માટે શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને આદેશ કર્યા છે,
સ્કુલો દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભૂલ ન થાય એ માટે શાળાઓને ફક્ત રેગ્યુલર વિદ્યાર્થીઓ તરીકે નોંધાયેલા વિદ્યાર્થીઓનુ જ પરિણામ શાળા તૈયાર કરીને મોકલે તે માટે ગુજરાત બોર્ડે તમામ ડીઈઓની ટીમ બનાવી સ્કોલોમાં રેકોર્ડ ચેક કરવા મોકલવાનો આદેશ કર્યો છે.વિદ્યાર્થીઓના માર્કિંગ માટે પહેલા 20 આંતરિક મૂલ્યાંકનના આધારે, જ્યારે બાકીના 80 માર્ક્સ ઓનલાઈન વેબસાઈટ પર મૂકવા માટે શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને આદેશ કર્યા છે,

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1 થી 8 ના એકપણ પુસ્તકો પહોંચ્યા નથી 

અમદાવાદ :ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નવા શૈક્ષણિક સત્રને શરૂ કરવા મામલે સ્પષ્ટતા કરી દેવાઈ છે. ત્યારે 7 જુનથી રાજ્યભરની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થશે. ઓનલાઈન અભ્યાસ (online study) માટે પ્રાથમિક જરૂરીયાત પુસ્તકોની હોય છે. આવામાં 7 જુનથી શરુ થતા નવા શૈક્ષણિક સત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1 થી 8 ના એકપણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી.શાળાઓ પોતે જ પુસ્તકો મેળવવાથી વંચિત છે, આવામાં બાળકો સુધી પુસ્તકો પહોંચ્યા નથી. ગાંધીનગર સ્થિત પાઠ્ય પુસ્તક મહામંડળ દ્વારા પુસ્તકો તમામ સ્કુલ બોર્ડની શાળાઓમાં વેકેશન પૂર્ણ થયા બાદ મોકલવામાં આવતા હોય છે. જો કે આ વર્ષે નવું સત્ર શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે. એવામાં પણ ઝોન લેવલ સુધી પણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી. આગામી 7 જુનથી એટલે કે ત્રણ દિવસ બાદ શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવાની છે. આવામાં પુસ્તકો વગર કેવી રીતે ઓનલાઈન અભ્યાસ કરાવી શકાશે તે મોટો પ્રશ્ન પેદા થયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષક મહામંડળના પ્રમુખે મનોજ પટેલ કહ્યું કે, પુસ્તકો વગર ઓનલાઈન અભ્યાસ શક્ય નથી, કેમકે બાળકોને કોન્સેપ્ટ સમજાવવા માટે સામે પુસ્તક જરૂરી હોય છે. જો કે હજુ સુધી પુસ્તકો અમને મળ્યા નથી. જેવા મળશે તુરંત જ અમે પુસ્તકો બાળક સુધી પહોંચાડીશું.