Thursday, July 16, 2026
HomeReligionઆજે કાળી ચૌદસ યંત્ર તંત્ર અને મંત્રના ઉપાસકની તિથિ તાંત્રિકો દસ મહાવિદ્યાની...

આજે કાળી ચૌદસ યંત્ર તંત્ર અને મંત્રના ઉપાસકની તિથિ તાંત્રિકો દસ મહાવિદ્યાની પણ કરશે ઉપાસના

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

આજે દિવાળી પૂર્વે કાળી ચૌદશનો તહેવાર મનાવવામાં આવે છે, જેને મહારાત્રી કે મંત્ર રાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ આજના દિવસે નરકાશૂર અસુરનો વધ કર્યો હોવાથી આજના દિવસને કેટલાક પ્રાંતોમાં નરક ચતુર્દશીના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે યંત્ર તંત્ર અને મંત્રની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ હોવાથી તંત્ર સાધના સાથે જોડાયેલા તાંત્રિકો અને સાધકો અઘોર સાધના પણ કરતા જોવા મળશે.આજે કાળી ચૌદશ આજના દિવસને કાલરાત્રી મહારાત્રી કે મંત્ર રાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે યંત્ર-તંત્ર અને મંત્રની ઉપાસનાને પણ શ્રેષ્ઠ માનવામાં આવી છે. જેથી આજના દિવસે તાંત્રિકો અને યંત્ર-મંત્ર અને તંત્રના ઉપાસકો દ્વારા શક્તિ સ્વરૂપા મહાકાળીની પૂજા કરવાની પણ એક વિશેષ પરંપરા જોવા મળે છે. આજે મધ્ય રાત્રી બાદ કાળી ચૈદશની તમામ પ્રકારની પૂજા શરૂ થશે. જેમાં કેટલીક જગ્યા પર નિશા પૂજાનું પણ આયોજન થયું છે. જે રાત્રિના દસ વાગ્યાથી લઈને વહેલી સવારે 4:00 વાગ્યા સુધી અવિરત પણે ચાલતી હોય છે. આ પૂજા દરમિયાન કોઈ પણ સાધક દ્વારા મહાકાળીની આરાધના અને તેની પૂજા કરીને યંત્ર તંત્ર અને મંત્રની શક્તિ પણ પ્રાપ્ત કરતા હોય છેકાળી ચૌદસને ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ જોવામાં આવે છે. જેથી આજના દિવસને કેટલાક લોકો અને પ્રાંતોમાં નરક ચતુર્દશીના નામે પણ ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી લોક વાયકા અનુસાર આજના દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કર્યો હતો. જેથી આજના દિવસને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે મહાકાળી દ્વારા અસુરોનો સંહાર કરવામાં આવ્યો હતો. જેને કારણે આજનો દિવસ તાંત્રિકો અને ઉપાસકો માટે ઉપાસનાના દિવસ તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજના દિવસે મંત્ર અને યંત્ર શક્તિના ઉપાસકો દ્વારા 10 મહાદેવીની પૂજા પણ કરવામાં આવતી હોય છે. જે રાત્રિના સમયે શરૂ થઈને વહેલી સવારે ચાર વાગ્યા સુધી ચાલતી હોય છે. જેમાં કોઈ પણ સાધક તેમના યંત્ર-તંત્ર કે મંત્રને દૈવીય શક્તિની હાજરીમાં સાધતા હોય છે

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here