Thursday, June 25, 2026
HomeGujaratરુપાલ ગામની શેરીઓમાં આજે યોજાશે વરદાયિની માતાજીની પલ્લી, વહેશે ઘીની નદીઓ

રુપાલ ગામની શેરીઓમાં આજે યોજાશે વરદાયિની માતાજીની પલ્લી, વહેશે ઘીની નદીઓ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

રૂપાલ ગામમાં પાંડવ કાળથી ચાલી આવતી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ જીવંત અને ભક્તિભાવથી ભરપૂર છે. દર વર્ષે આસો સુદ નોમના દિવસે યોજાતી આ પલ્લીના દર્શન માટે લાખો ભક્તો દેશ-વિદેશથી ઉમટે છે. આ પરંપરા માત્ર ધાર્મિક મહત્વ જ નહીં, પરંતુ સર્વધર્મ સમભાવ અને કોમી એકતાનું પ્રતીક પણ છે. પલ્લી એટલે માતાજીનો રથ, જેના પર પાંચ પાંડવોના પ્રતીક રૂપે જ્યોત પ્રગટે છે. આ રથ ગામના 27 ચોકમાંથી પસાર થાય છે, અને તેના પર લાખો લિટર ઘીનો અભિષેક થાય છે, જેનાથી ગામની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવો અનોખો નજારો સર્જાય છે.પલ્લીની શરૂઆત અને તેનું ઐતિહાસિક મહત્વ વરદાયિની માતાની પલ્લીની પરંપરા પાંડવોના સમયથી શરૂ થઈ હોવાનું મનાય છે. કહેવાય છે કે, પાંડવોએ સૌપ્રથમ સોનાની પલ્લી બનાવી હતી, અને ત્યારબાદ પાટણના રાજાએ ખીજડાના લાકડામાંથી પલ્લીનું નિર્માણ કર્યું હતું. આજે પણ રૂપાલ ગામના વિવિધ સમાજના લોકો એક થઈને આ પલ્લીનું નિર્માણ કરે છે. પલ્લીનું નિર્માણ એક સમગ્ર સમાજના સહયોગનું પ્રતીક છે, જેમાં દરેક સમુદાય પોતાની ભૂમિકા નિભાવે છે.વણકર ભાઈઓ ખીજડાનું લાકડું લાવે છે, સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે, વાળંદ ભાઈઓ વરખડાના સોટા બાંધે છે, અને કુંભાર ભાઈઓ કૂંડા તૈયાર કરે છે. મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કૂંડામાં કપાસ ભરે છે, જ્યારે માળી ભાઈઓ ફૂલોથી પલ્લીને શણગારે છે. પંચાલ ભાઈઓ માતાજીના નિવેદ માટે સવા મણ ખીચડો તૈયાર કરે છે, અને ક્ષત્રિય ચાવડા ભાઈઓ ખુલ્લી તલવાર સાથે પલ્લીની રક્ષા કરે છે. પાટીદાર ભાઈઓ પૂજા-આરતી કરીને કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે, અને ત્રિવેદી ભાઈઓ પલ્લીની પૂજા કરે છે. આ રીતે, દરેક સમાજનું યોગદાન આ પરંપરાને વધુ ભવ્ય અને એકતાનું પ્રતીક બનાવે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here