Wednesday, August 5, 2026
HomeEntertainmentપીઢ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે મુંબઈમાં નિધન, આજે સાંજે 4...

પીઢ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે મુંબઈમાં નિધન, આજે સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

2025નું વર્ષ બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ માટે સારું નહોતું. આ વર્ષે ઘણા કલાકારોનું અવસાન થયું. 2026માં આશા ભોસલેનું અવસાન ભારતીય કલા જગત માટે એક પુરી ન કરી શકાય તેવી મોટી ખોટ છે.

પ્રખ્યાત અને પીઢ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ગઈકાલે શનિવારે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ તેમના નિધનની પુષ્ટિ કરી. તેમણે કહ્યું, “મારી માતાનું આજે અવસાન થયું. કાલે સવારે 11 વાગ્યે લોઅર પરેલના કાસા ગ્રાન્ડે ખાતે લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે આવી શકે છે, જ્યાં તેઓ રહેતા હતા. તેમના અંતિમ સંસ્કાર સોમવારે સાંજે 4 વાગ્યે શિવાજી પાર્કમાં થશે.”શનિવારે શરૂઆતમાં, તેમની પૌત્રી જનાઈએ ઇન્સ્ટાગ્રામ પર તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી શેર કરતા લખ્યું, “મારી દાદી આશા ભોસલેને ભારે નબળાઈ અને છાતીમાં ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે આપને અમારી ગોપનીયતા જાળવવાની વિનંતી કરીએ છીએ. તેમની સારવાર ચાલી રહી છે અને આશા છે કે બધું સારું થશે. અમે ચોક્કસપણે તમને બધાને જાણ કરીશું.”તેમના નિધનથી બોલીવુડ સહિત સમગ્ર દેશમાં શોકનો માહોલ ફેલાયો છે, આશા ભોસલેના નિધનથી તેમના ચાહકો ખુબ જ શોકમાં ગરકાવ થઈ ગયા છે, અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, પીએમ મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપતા કેટલીક તસ્વીરો શેર કરી હતી અને પોતાની દુ:ખની પીડા વ્યક્ત કરી હતી.મીડિયા સાથે વાત કરતા, રાજ્યના સાંસ્કૃતિક મંત્રી આશિષ શેલારે શોક વ્યક્ત કરતા કહ્યું, “આજે, સમગ્ર રાષ્ટ્ર અને મહારાષ્ટ્ર રાજ્ય ખૂબ જ દુઃખી છે. એક યુગનો અંત આવ્યો છે. આપણી પ્રિય આશાતાઈ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. આપણી વચ્ચે તેમની હાજરી સાંત્વનાનો સ્ત્રોત હતી. તેમનું જીવન પોતાના અંગત દુ:ખ સહન કરતી વખતે બીજાઓને આનંદ આપવામાં વિતાવ્યું. તેમની કલાત્મક સિદ્ધિઓ માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરે છે. આશાતાઈનો વારસો વિશ્વ માટે એક ભેટ છે. તેઓ હવે આપણી વચ્ચે નથી. તમામ જરૂરી તબીબી અને પારિવારિક વિધિઓ કરવામાં આવશે. સોમવારે સાંજે 4:00 વાગ્યે શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.”આશા ભોંસલેના સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતિક સમદાનીએ જણાવ્યું હતું કે, “આજે આશા ભોંસલેજીનું અવસાન થયું તે ખૂબ જ દુઃખદ છે. તેમને તબીબી સમસ્યા હતી અને તેમનું મૃત્યુ બહુ-અંગ નિષ્ફળતાથી થયું હતું.”

બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉ. પ્રીત સમદાનીને ટાંકીને ગઈકાલે, મીડિયા રિપોર્ટ્સ જણાવ્યું હતુ કે, ગાયિકા આશા ભોંસલેને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here