Wednesday, July 15, 2026
Homenationalઆરબીઆઈ પોલિસી : રેટમાં વધુ ઘટાડો કરાય તેવી પ્રબળ સંભાવના

આરબીઆઈ પોલિસી : રેટમાં વધુ ઘટાડો કરાય તેવી પ્રબળ સંભાવના

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

મુંબઈ,તા. ૭
આરબીઆઈની પોલિસી સમીક્ષાના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતની ક્રેડિટ પોલિસી પ્રથમ વખત અસામાન્ય રહી છે. કારણ કે, પ્રથમ વખત રેપોરેટમાં ૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૫ બેઝિક પોઇન્ટના અપેક્ષિત ઘટાડાની સામે ૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વખતે આરબીઆઈ દ્વારા ખુબ જ અલગરીતે વલણ અપનાવીને રેટમાં ઘટાડો કર્યો છે. એવી આશા છે કે, હજુ પણ વધુ રેટ કટની Âસ્થતિ જાવા મળી શકે છે. એમપીસી દ્વારા આર્થિક વિકાસ દરને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે. અગાઉના ૭૫ બેઝિક પોઇન્ટના ઘટાડા તબક્કાવારરીતે કરવામાં આવ્યા હતા. આરબીઆઈએ આ વખતે જીડીપી ગ્રોથનો અંદાજ સાત ટકાથી ઘટાડીને ૬.૯ ટકા કરી દીધો છે જે કોઇ વધારે ફેરફારનો સંકેત આપતો નથી પરંતુ આની અસર ચોક્કસપણે થઇ શકે છે. એમપીસીની બેઠકમાં જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડી દેવામાં આવ્યો છે. પ્રથમ અવધિ માટે ગ્રોથ ૫.૮-૬.૬ ટકા રાખવામાં આવ્યો છે. પ્રથમ ત્રિમાસિકમાં ગ્રોથ ખાસ રીતે નીચે રાખવામાં આવ્યો છે. માર્કેટ દ્વારા આપવામાં આવેલા સંકેત મુજબ આ અંદાજ છ ટકાથી નીચે રાખવામાં આવ્યો છે. એમપીસીની બેઠકમાં આજે વિવિધ પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. આરબીઆઈના કહેવા મુજબ ગ્રોથ આ વર્ષે ઓછો રહેશે પરંતુ ગતિ વધી શકે છે. રેપોરેટમાં હજુ ફેરફારની શક્યતા દેખાઈ રહી છે. જૂન મહિના માટેના કોર સેક્ટરના ડેટા ૦.૨ ટકા સુધી રહ્યા છે જે સંકેત આપે છે કે, ઔદ્યોગિક ગ્રોથનો આંકડો એક ટકાથી ઓછો રહ્યો છે. આ તમામ બાબતોની નોંધ આરબીઆઈની બેઠકમાં લેવામાં આવી છે. આરબીઆઈના ગવર્નર શક્તકાંત દાસે આજે કહ્યું હતું કે, આરબીઆઈ દ્વારા ૭૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો આજ પહેલા કરવામાં આવ્યો હોવા છતાં બેંકો દ્વારા માત્ર ૨૯ બેઝિક પોઇન્ટ સુધીનો લાભ સામાન્ય લોકોને આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, આરબીઆઈ દ્વારા જૂન સુધી વ્યાજદરમાં ૦.૭૫ ટકાનો ઘટાડો કર્યો છે પરંતુ બેંકોએ માત્ર ૦.૨૯ ટકાનો ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરી મહિના બાદથી રેપોરેટમાં આજના ૩૫ બેઝિક પોઇન્ટના ઘટાડા સાથે ૧૧૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આની સાથે વ્યાજદર ૫.૪૦ ટકા થયો છે. આજની બેઠકમાં ૪-૨ના મતથી રેટમાં કાપનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here