Friday, June 26, 2026
Homenationalઆર્થિક સંકડામણ વચ્ચે પણ પ્રધાનોના બંગલાઓ પાછળ ૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ

આર્થિક સંકડામણ વચ્ચે પણ પ્રધાનોના બંગલાઓ પાછળ ૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મુંબઈ:કોરોનાને પગલે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે રાજ્ય સરકાર આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે અને તેમાં પણ મુખ્ય પ્રધાનના સરકારી નિવાસસ્થાન વર્ષા બંગલોસહિત અનેક સરકારી બંગલાઓના પાણીના બિલ ચૂકવ્યા ન હોવાનું માહિતી અધિકાર ધારા હેઠળ બહાર આવ્યું છે ત્યારે બીજી તરફ સમારકામના નામે પ્રધાનોના બંગલાઓનું સુશોભીકરણનું કામ હાથમાં લેવામાં આવ્યું છે અને તે માટે લગભગ ૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ બંગલાના કામ ચાલી રહ્યા છે તેના કામમાં તમામ વસ્તુઓ મોંધી જ હોવી જોઈએ એવું દબાણ પણ પ્રધાનો દ્વારા તેમના પર્સનલ આસિસ્ટન્ટ અને અધિકારીઓ પર નાખવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે ત્યારે આ મુદ્દે વિરોધી પક્ષ ભાજપે સરકારના આ વલણની સખત શબ્દોમાં ટીકા કરી છે.

ધનંજય મુંડેના ચિત્રકૂટ બંગલો પર ૩ કરોડ ૮૯ લાખ જેટલો સૌથી વધુ ખર્ચ થયો છે તો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બંગલો પર ૩ કરોડ ૨૬ લાખ જેટલો ખર્ચ થયો છે. અજિત પવારના દેવગિરી માટે ૧ કરોડ ૭૮ લાખ, બાળાસાહેબ થોરાતના રૉયલ સ્ટોન માટે બે કરોડ ૨૬ લાખ, અશોક ચવાણના મેઘદૂત માટે એક કરોડ ૪૬ લાખ, સુભાષ દેસાઈના શિવનેરી માટે એક કરોડ ૪૪ લાખ, છગન ભુજબળના રામટેક માટે એક કરોડ ૬૭ લાખ લાખ, મેડિકલ ઍજ્યુકેશન અને કલ્ચરલ અફેરના પ્રધાન અમિત દેશમુખના બંગલો માટે એક કરોડ ૪૦ લાખ, નિતીન રાઉતના પર્ણકુટી માટે એક કરોડ ૨૨ લાખ અને એકનાથ શિંદેના અગ્રદૂત અને નંદનવન માટે બે કરોડ ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોરોનાને પગલે રાજ્ય સરકાર આર્થિક સંકટમાં છે ત્યારે નાગરિકોએ કરવેરા રૂપે ભરેલા પૈસા પર આવો ફાલતું ખર્ચો કરવો કેટલું યોગ્ય હોવાનો સવાલ પણ વિરોધપક્ષે કર્યો છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here