Thursday, July 16, 2026
Homenationalઆર્થિક સંકડામણ વચ્ચે પણ પ્રધાનોના બંગલાઓ પાછળ ૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ

આર્થિક સંકડામણ વચ્ચે પણ પ્રધાનોના બંગલાઓ પાછળ ૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

મુંબઈ:કોરોનાને પગલે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે રાજ્ય સરકાર આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે અને તેમાં પણ મુખ્ય પ્રધાનના સરકારી નિવાસસ્થાન વર્ષા બંગલોસહિત અનેક સરકારી બંગલાઓના પાણીના બિલ ચૂકવ્યા ન હોવાનું માહિતી અધિકાર ધારા હેઠળ બહાર આવ્યું છે ત્યારે બીજી તરફ સમારકામના નામે પ્રધાનોના બંગલાઓનું સુશોભીકરણનું કામ હાથમાં લેવામાં આવ્યું છે અને તે માટે લગભગ ૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ બંગલાના કામ ચાલી રહ્યા છે તેના કામમાં તમામ વસ્તુઓ મોંધી જ હોવી જોઈએ એવું દબાણ પણ પ્રધાનો દ્વારા તેમના પર્સનલ આસિસ્ટન્ટ અને અધિકારીઓ પર નાખવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે ત્યારે આ મુદ્દે વિરોધી પક્ષ ભાજપે સરકારના આ વલણની સખત શબ્દોમાં ટીકા કરી છે.

ધનંજય મુંડેના ચિત્રકૂટ બંગલો પર ૩ કરોડ ૮૯ લાખ જેટલો સૌથી વધુ ખર્ચ થયો છે તો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બંગલો પર ૩ કરોડ ૨૬ લાખ જેટલો ખર્ચ થયો છે. અજિત પવારના દેવગિરી માટે ૧ કરોડ ૭૮ લાખ, બાળાસાહેબ થોરાતના રૉયલ સ્ટોન માટે બે કરોડ ૨૬ લાખ, અશોક ચવાણના મેઘદૂત માટે એક કરોડ ૪૬ લાખ, સુભાષ દેસાઈના શિવનેરી માટે એક કરોડ ૪૪ લાખ, છગન ભુજબળના રામટેક માટે એક કરોડ ૬૭ લાખ લાખ, મેડિકલ ઍજ્યુકેશન અને કલ્ચરલ અફેરના પ્રધાન અમિત દેશમુખના બંગલો માટે એક કરોડ ૪૦ લાખ, નિતીન રાઉતના પર્ણકુટી માટે એક કરોડ ૨૨ લાખ અને એકનાથ શિંદેના અગ્રદૂત અને નંદનવન માટે બે કરોડ ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોરોનાને પગલે રાજ્ય સરકાર આર્થિક સંકટમાં છે ત્યારે નાગરિકોએ કરવેરા રૂપે ભરેલા પૈસા પર આવો ફાલતું ખર્ચો કરવો કેટલું યોગ્ય હોવાનો સવાલ પણ વિરોધપક્ષે કર્યો છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here