Friday, June 26, 2026
Homenationalકાશ્મીરમાં ઘૂસ્યા 20 આતંકવાદી! હુમલાની આશંકા

કાશ્મીરમાં ઘૂસ્યા 20 આતંકવાદી! હુમલાની આશંકા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

દિલ્હીમાં પણ એલર્ટ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુપ્તચર સૂત્રોના અનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલા થઈ શકે છે. રિપોર્ટ મુજબ, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માંથી લગભગ 20 આતંકવાદી ઘૂસણખોરી કરી ચૂક્યા છે. આ અહેવાલ બાદ રાજધાની દિલ્હીમાં પણ એલર્ટ આપી દેવાયું છે.સુરક્ષા એજન્સીઝે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે, આતંકવાદીઓ કોઈ મોટો હુમલો કરી શકે છે. આગામી બે-ત્રણ દિવસમાં આર્મી કે અન્ય સ્થળો પર ફિદાયીન હુમલા થવાની આશંકા છે. આ સિવાય સુરક્ષા દળોએ પણ એવી આશંકા વ્યક્ત કરી છે કે, આ હુમલો હિટ એન્ડ રન ટાઇપ હોઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, રમજાનના મહિનામાં ભારત સરકાર તરફથી કૂણા વલણની જાહેરાત બાદ આતંકવાદી પ્રવૃત્તિઓ વધતી જઈ રહી છે. બુધવારે આર્મીની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કરનારા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ઘૂસણખોરી કરનારા મોટા ભાગના આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું કહેવાય છે.સુંજવાન અને પઠાણકોટ હુમલામાંથી સબક લઈ આર્મીએ આ વખતે કોઈ ચૂક ન થાય તેનું ધ્યાન રાખવાનો નિર્ણય લીધો છે અને તમામ પેટ્રોલિંગ પાર્ટીઓ અને ચોકીઓની સાથે સાથે આર્મીની મોટી મોટી છાવણીઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોઈ આતંકવાદી હુમલો કરીને નાસી જવાની અથવા તો આત્મઘાતી હુમલો કરવાની કોશિશ થઈ શકે છેપુલવામાથી ઈદગાહ જતી વખતે આતંકવાદીઓએ સીઆરપીએફની 183 બટાલિયનના બંકર વ્હિકલ પર ગોળીબાર કર્યો હતો. જોકે તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાના તુરંત બાદ સીઆરપીએફે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ત્રણ બેગ મળી આવી હતી. એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે, આ બેગ્સમાં મળેલી વસ્તુઓ આઈઈડી સંબંધિત હોઈ શકે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here