Wednesday, July 1, 2026
HomeIndiaકેજરીવાલ CM હાઉસ ખાલી કરશે , જાણો પછી ક્યાં રહેશે અને કેવી-કેવી...

કેજરીવાલ CM હાઉસ ખાલી કરશે , જાણો પછી ક્યાં રહેશે અને કેવી-કેવી સુવિધાઓ મળશે?

Date:

Related stories

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

આમ આદમી પાર્ટીના (AAP)રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈ કાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હીના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યા બાદ આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે સરકારી મકાન સહિત તમામ સુવિધાઓ છોડવાનો નિર્ણય કર્યો છે.મળતી માહિતી પ્રમાણે, કેજરીવાલ આગામી 15 દિવસમાં મુખ્યમંત્રી આવાસ છોડી દેશે. જો કે મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ સરકારી મકાન ખાલી કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવે છે, પરંતુ અરવિંદ કેજરીવાલ આટલો સમય કાઢવા માંગતા નથી. તેથી, તેઓ 15 દિવસમાં ‘શીશમહેલ’ ખાલી કરશે.

કેજરીવાલ સરકારી આવાસ છોડ્યા પછી ક્યાં રહેશે?

AAP સાંસદ સંજય સિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ હવે માત્ર ધારાસભ્ય રહી ગયા છે. આવી સ્થિતિમાં તેમને ધારાસભ્ય તરીકે મળેલી સરકારી સેવાઓ, પગાર અને ભથ્થાં જ મળશે. તેઓ નવી દિલ્હી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે, પરંતુ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીને સરકારી આવાસ ફાળવવાની કોઈ જોગવાઈ નથી, તેથી તેમને સરકારી આવાસ તો નહી મળે. આવી સ્થિતિમાં તેઓએ પોતાનું નવુ ઘર જાતે જ શોધવું પડશે. મુખ્યમંત્રી પદ છોડતાની સાથે જ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે મળેલ સરકારી ઘર, સરકારી કાર અને સરકારી સુરક્ષા છોડવી પડશે.તો બીજી તરફ વિરોધીઓએ આ મુદ્દે સંજય સિંહની પ્રેસ કોન્ફરન્સને છેતરપિંડી ગણાવી હતી અને કહ્યું હતં કે કેજરીવાલને બલિદાનની મૂર્તિ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.વિધાનસભા ચૂંટણી 2020 માટે દાખલ કરાયેલ ચૂંટણી એફિડેવિટ મુજબ, અરવિંદ કેજરીવાલ પાસે કોઈ ઘર નથી. તેની પાસે પોતાની કાર પણ નથી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે, કેજરીવાલ હવે ભાડાના મકાનમાં રહેશે? સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નેશનલ પોલિટિકલ પાર્ટીના અધ્યક્ષ હોવાથી તેમને સરકારી મકાન મળી શકે છે, પરંતુ શું તેઓ સરકારી મકાન લેશે? આ પણ એક પ્રશ્ન છે. પોતાની પાર્ટીની ઓફિસ બનાવવા માટે પણ તેમને ભાગ્યે જ જગ્યા મળી. ચર્ચા છે કે, કેજરીવાલ સેંટ્રલ દિલ્હીમાં પોતાના માટે જગ્યા શોધી રહ્યા છે.મહત્વનું છેકે, મુખ્યમંત્રી પર પરથી રાજીનામુ આપવાની જાહેરાત બાદ તેમણે કહ્યું હતુ કે, તેઓ CM ના પદ પર ત્યારે જ બેસશે જ્યારે જનતા તેમને ઇમાનદારીનું પ્રમાણપત્ર આપશે.

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here