કોરોનાના ભયથી સાયન્સના સ્ટુડન્ટનો આપઘાત

0
37
જેને પગલે પરિવારજનોએ માંજલપુર પોલીસને જાણ કરી હતી, આ બનાવ અંગે જાણ થતાં પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચી ગઇ હતી
જેને પગલે પરિવારજનોએ માંજલપુર પોલીસને જાણ કરી હતી, આ બનાવ અંગે જાણ થતાં પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચી ગઇ હતી

અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે અનેક લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. કેટલાક લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા કિશોરે કોરોના થઇ જવાના ડરથી ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ ત્યારથી વિદ્યાર્થી ઘરની બહાર નીકળતો ન હતો.પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી કેશવ ગ્રીન સોસાયટીમાં રહેતા પારસ ઝા (ઉં.વ.૧૫) નામના કિશોરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેને પગલે પરિવારજનોએ માંજલપુર પોલીસને જાણ કરી હતી, આ બનાવ અંગે જાણ થતાં પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચી ગઇ હતી અને કિશોરના મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી હતી.