Monday, September 14, 2026
HomeGujaratગુજરાતના આ શહેરમાં ‘ વિઘ્નહર્તા બન્યા પ્રદુષણહર્તા ’ ભક્તોએ ફટકડીમાંથી ગણેશજીની પ્રતિમા...

ગુજરાતના આ શહેરમાં ‘ વિઘ્નહર્તા બન્યા પ્રદુષણહર્તા ’ ભક્તોએ ફટકડીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વ્યારા ખાતે આ વર્ષે નગર પાલિકા દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે નવતર પ્રયોગ કર્યો છે. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા વ્યારા પાલિકાના ફાયર સ્ટેશને આ વર્ષે ફટકડીમાંથી બનાવેલ ગણેશજીની પ્રતિમા બનાવી વિધિવત સ્થાપન કર્યું હતું. ફટકડીના પ્રતિમા નદીમાં વિસર્જન કરવાથી ફટકડી નદીમાં ભળી જશે. તેમજ ફટકડી પાણીને શુદ્ધ કરે છે જેથી વિઘ્નહર્તા પ્રદૂષણ હર્તા બનશે.વ્યારા નગર પાલિકા દ્વારા ફાયર સ્ટેશન પર ફટકડીમાંથી બનેલ શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી

વધતા જતા પ્રદૂષણને અંકુશમાં રાખવા અને નદી પ્રદૂષણની માત્રા ઘટાડવા તંત્ર દ્વારા ગણેશ ઉત્સવમાં પીઓપીની ગણેશ પ્રતિમા પર પ્રતિબંધ મુક્યો છે. એની જગ્યાએ માટીના ગણેશ મુકવા માટે આયોજન કર્યું હતું. જેને લઇ પ્રદૂષણની માત્રમાં ઘટાડો થાયએ માટે તંત્ર કટિબંધ છે. જે અંતર્ગત વ્યારા નગર પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ દ્વારા ઉચ્ચ અધિકારીના માર્ગદશન મુજબ વ્યારા પાલિકા માટે સ્પેશિયલ ફટકડીના ગણેશજીની પ્રતિમા બનાવી છે. તેને વ્યારા નગર ખાતે આવેલા ફાયર સ્ટેશનમાં વિધિવત સ્થપાના કરી છે. તેમજ વિસર્જનના દિવસે ફટકડીની પ્રતિમા નદીમાં વિસર્જન કરવાથી નદી પ્રદુષિત થવાના બદલે શુદ્ધ બનશે.

ફટકડીની પ્રતિમાનો વધુ ઉપયોગ કરાશે

આ પ્રસંગે વ્યારા પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલે જણાવ્યું હતું કે વ્યારા ખાતે પાલિકા ના ફટકડીથી બનવેલા વિઘ્નહર્તા ગણેશજી બનશે પ્રદુષણહર્તા. વ્યારા પાલિકા એ બનાવેલા ફટકડી ના ગણેશ પ્રતિમા પ્રારંભિક પ્રયોગ આવતા વર્ષે નગરજનો કરે એ વિશેષ આયોજન કરશે અને નગરમાં વધુને વધુ ફટકડીની પ્રતિમાનો ઉપયોગ થઇ એવું આયોજન કરશે

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here