Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadગુજરાત સરકાર સવર્ણો માટે ટૂંક સમયમાં જ જાહેર કરશે 25 યોજનાઓ

ગુજરાત સરકાર સવર્ણો માટે ટૂંક સમયમાં જ જાહેર કરશે 25 યોજનાઓ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

આગામી બે દિવસમાં ગુજરાતના આર્થિક પછાત સવર્ણો માટે રાજ્ય સરકાર 25 જેટલી જુદી જુદી લાભદાયક યોજનાઓ જાહેર કરવાની તૈયારીમાં છે. દેશના અન્ય આરક્ષણ ધરાવતા સમાજની જેમ જ સવર્ણો પૈકી જેઓ આર્થિક રીતે નબળી પરીસ્થિતિના છે અને તેના કારણે આજના સ્પર્ધાત્મક યુગમાં પાછળ રહી જાય છે. તેમના માટે SC,ST અને OBCને મળતા લાભો જેવા જ લાભ આપતી યોજનાઓ શરુ કરવામાં આવશે. પાટીદાર આંદોલન બાદ ચૂંટણી પહેલા ભાજપે કરેલી જાહેરાત અનુસાર રાજ્ય સરકારે થોડા દિવસો પહેલા નોન-રીઝર્વ્ડ કાસ્ટ વેલફેર કમિશનની રચના કરી હતી. આ કમિશને પોતાનો પહેલો રીપોર્ટ સરકારને સુપરત કરતા સવર્ણો માટે કેવા પ્રકારના કલ્યાણકારી પગલા લેવા જોઈએ તેની ભલામણ કરી છે.રાજ્ય સરકારે આ માટે રુ.532 કરોડ તાજેતરના બજેટમાં ફાળવ્યા છે. રાજ્યના સામાજીક કલ્યાણ અને ન્યાય વિભાગના પ્રધાન ઇશ્વર પરમારે કહ્યું કે, ‘રાજ્ય સરકારે આ યોજનાઓની અસરકર્તા તારીખ 1 એપ્રિલ 2018 નક્કી કરી છે. જેથી ત્યાર બાદ જે પણ સવર્ણ વિદ્યાર્થીએ એપ્લાય કર્યું હશે તે લાભને પાત્ર રહેશે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘કેબિનેટ ટૂંક સમયમાં જ આ યોજનાના લાભ માટે આવક મર્યાદાનો માપદંડ નક્કી કરશે. જે લગભગ 6-8 લાખની મર્યાદામાં રહી શકે છે.’ઓક્ટોબર 2017માં સરકારે સવર્ણ જાતી કલ્યાણ બોર્ડની જાહેરાત કરી હતી. જેના માટે સરકારે ગત વર્ષે રુ.500 કરોડનું ફંડ પણ ફાળવી આપ્યું હતું. જોકે આ ગ્રાન્ટનો કોઈ ઉપયોગ થયો નહોતો. જ્યારે તાજેતરમાં જ સરકારે આ યોજનાઓનો લાભ લેવા માટે જરુરી સવર્ણ જાતી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે ડેઝિગ્નેટેડ સરકારી અધિકારીઓને સત્તા આપતો જીઆર ઇશ્યુ કર્યો હતો.30મેના રોજ સરકાર દ્વારા જાહરે કરવામાં આવેલ આ જીઆર મુજબ સરકારે સવર્ણ જ્ઞાતિમાં એ જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે જેમને SC,ST કે પછી સમાજીક અને આર્થિક પછાત જાતિમાં સમાવેશ નથી થતો. તેમજ આ જાતીઓને મળતા કોઈપણ વિશેષ લાભ તેમને નથી મળતા.# મફત અથવા સરકારી ગ્રાન્ટ દ્વારા ચલાતી બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ

# સ્વરોજગાર માટે આર્થિક મદદ અથવા સોફ્ટ લોન

# વિદેશ અભ્યાસ માટે એજ્યુકેશન લોન

# લગ્ન માટે નાણાંકીય સહાયતા

# મહિલાઓ માટે આર્થિક કલ્યાણ યોજનાઓ

# આર્થિક પછાત માટે પેન્શન યોજના

# લઘુ લોન

# મેડિકલ, એન્જિનિયરિંગ સહિત અન્ય પ્રોફેશનલ કોર્સિસ માટે આર્થિક સહાયતા

# ઘર બનાવવા સહાયતા

# સરકારી નોકરી માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here